ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2018

શહેરોમાં રહેતા અને દેશ માટે ખતરારૂપ તેવાં અર્બન નકસલવાદીઓને ઓળખો

વિડીયો જુઓ

નકસલવાદ શબ્દ સાંભળીએ એટલે સામાન્ય રીતે આપણાં મનમાં જંગલોમાં હાથમાં બંદુકો લઇ ફરતા, પછાત દેખાતા લોકોનું ચિત્ર ઉપસી આવે.પરંતુ અહીં વાત કરવી છે અર્બન નકસલવાદની, એટલે કે શહેરોમાં રહેતા નક્સલવાદીઓની.છેલ્લાં થોડાં સમયથી આ શબ્દ બહુ પ્રચલિત બન્યો છે.તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રીની હત્યાના કાવતરાના આરોપમાં છ અર્બન નક્સલવાદીઓની ધરપકડ થઇ.આ અર્બન નકસલવાદ શું છે ? તે સમજવાની કોશિશ આજે આપણે કરવી છે.

અર્બન નકસલવાદ વિશે સમજતા પહેલાં નકસલવાદ વિશે પણ થોડી પ્રાથમિક જાણકારી મેળવીએ.આ પ્રવૃતીની શરૂઆત ઉતર બંગાળના એક તાલુકા નક્સલબાડીથી થઇ તેથી તે નકસલવાદ તરીકે ઓળખાય છે.૧૯૬૭માં માર્ક્સવાદી પક્ષના કનુ સંન્યાલ અને ચારુ મઝુમદારે જમીનદારોના જુલ્મ સામે ખેતમજુરો અને ગણોતીયાઓના સશસ્ત્ર આંદોલનની આગેવાની લીધી.તેમની ધરપકડ થઇ,જેલ ગયા અને મૃત્યુ થયું.જે જગ્યાએથી નકસલવાદની શરૂઆત થઇ ત્યાં અત્યારે આવી કશી પ્રવૃત્તિ ચાલતી નથી.પરંતુ માર્ક્સવાદી પક્ષના આગેવાનો,યુવાનોએ જુદાજુદા આદિવાસી-પછાત વિસ્તારોમાં જઈ તેમની સમસ્યાઓમાં મદદરૂપ થવાને બદલે તેમને સરકાર અને દેશ વિરુધ્ધ ઉશ્કેરવાનું ચાલુ કરી, નવાં નવાં જૂથો ઊભા કરવાનું કાર્ય ચાલુ કર્યું.જે માઓવાદ તરીકે પણ ઓળખાય છે.
દેશને જેટલો ખતરો જિહાદી આતંકવાદથી નથી તેનાંથી પણ વધુ ખતરો નક્સલી આતંકવાદથી છે.અમેરિકાના અધિકૃત આંકડાઓ મુજબ ઇસ્લામિક સ્ટેટ્સ(આઈએસ) અને તાલીબાન પછીનું ત્રીજા નંબરનું સૌથી હિંસક આતંકવાદી સંગઠન નક્સલવાદીઓનું છે.આજે  નકસલી આતંકવાદ બંગાળ કરતાં ઘણા વધારે મોટા પ્રમાણમાં તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, ઉડિસા, આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાંક વિસ્તારોમાં ફેલાયેલ છે.

અત્યાર સુધી બહુ ઓછા લોકોને ખબર હતી કે નકસલવાદીઓ ફક્ત જંગલોમાં જ નથી રહેતા પરંતુ શહેરોમાં આપણી વચ્ચે પણ રહે છે.આ શહેરી નક્સલીઓ ખાસ કરીને માનવ અધિકાર કાર્યકર્તા,સામાજીક કાર્યકર,પ્રોફેસર,શિક્ષક,પત્રકાર,ફિલ્મ નિર્માતા,અર્થશાસ્ત્રી જેવા જુદા જુદા સ્વાંગમાં જોવા મળે છે.તેઓ દેખાવે ખુબ જ સોફેસ્ટીકેટેડ હોય છે.ખુબ સારું અંગ્રેજી બોલી જાણે છે અને સમાજમાં એક બુદ્ધિજીવી તરીકે પોતાની ઓળખ ઉભી કરેલી હોય છે.સમાજનો યુવાવર્ગ તથા કહેવાતા આધુનિકતાવાદીઓ તેમના સોફ્ટ ટાર્ગેટ હોય છે. તેમની વાક્પટુતા તથા પહેલી નજરે સાચું લાગે તેવા તર્ક દ્વારા તેઓ  સરકાર અને શાસનવ્યવસ્થા સામે લોકોને ઉશ્કેરવાનું કાર્ય સતત કરતા રહે છે.તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ક્સવાદ સાથે જોડાયેલા હોય છે. આયોજનબદ્ધ રીતે ચાલતી અન્ડરગ્રાઉન્ડ વ્યવસ્થાના તેઓ ભાગ હોય છે.નિયમિત રીતે તેઓ એકબીજા સાથે સંપર્કમાં રહી પોતાની કાર્યયોજનાઓ બનાવતા રહે છે.તેમના દ્વારા અનેક એનજીઓ ચલાવવામાં આવે છે.આ એનજીઓને જુદાજુદા આતંકવાદી જૂથો અને દેશ વિરોધી વિદેશી સંસ્થાઓ દ્વારા ફંડિંગ પૂરું પાડવામાં આવે છે અને આ ફંડનો ઉપયોગ દેશના ભાગલા કરવાની પ્રવૃતિઓ માટે કરવામાં આવે છે. આ શહેરી નક્સલી જંગલમાં રહેતા નક્સલીઓને કાનૂની દાવપેચ અને ઈમાનદાર ઓફિસરોને ફસાવવા માટેની ટ્રેનીંગ પણ આપે છે.પોતાના પર નકલી હુમલો કરાવવો તથા બળાત્કારના ખોટા આરોપો લગાડવા,ખોટા કેસો કરવા,કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવી,છાપાંમાં સરકાર વિરુધ્ધ લેખો લખવા, આવી બધી બાબતોમાં તેઓ માહિર હોય છે.યુવાનોમાં અસંતોષ ઉભો કરવો,ખેડૂતો,મજુરો,દલિતોને ઉશ્કેરવા આ બધા દ્વારા તેઓ સરકાર વિરુધ્ધ માહોલ બનાવવાની કોશિષ કરતા રહે છે.સમાજમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવું,લોકોને પોલીસ અને જવાનો સામે ઉશ્કેરવા,ધર્મ પ્રત્યેની લોકોની શ્રધ્ધાને ડગમગાવવી,સરકારી તંત્ર સામે ખોટા આક્ષેપો કરી તેમના આત્મવિશ્વાસને નબળો પાડવો તથા અમીર અને મધ્યમવર્ગની સામે ગરીબોને ઉશ્કેરવા વગેરે જેવા કાર્યો દ્વારા આ અર્બન નકસલવાદીઓ દેશની સંસ્કૃતિ અને લોકશાહીને ખતમ કરવા માટેના કાવતરા કરતા રહે છે.

આ અર્બન નકસલવાદીઓનો અંતિમ ધ્યેય શું છે ? આ સવાલ હરકોઈના મનમાં થાય.ભારતીય ગણતંત્રનું વિઘટન કરી, દેશના ટુકડા કરી નાના-નાના સામ્યવાદી દેશો બનાવવા અને માઓવાદી ચીન જેવા કોમ્યુનીસ્ટ શાસનની સ્થાપના કરવી તે જ તેનો મુખ્ય ઉદેશ છે.આ જ ડાબેરીઓએ આઝાદી પહેલાં ભારતના ભાગલાનું સંપૂર્ણ સમર્થન કરી દેશના ૩૦ જેટલા ટુકડા કરવાની ભલામણ કરી હતી.આજે પણ આવા ડાબેરી વિચારધારા સાથે જોડાયેલા લોકો અભિવ્યક્તિની આઝાદીના નામે અલગાવવાદી સંગઠનોને સાથ આપી રહ્યા છે.

અહીંયા એ પણ સમજવું જરૂરી છે કે આ નકસલવાદીઓ ભાજપા,નરેન્દ્ર મોદી કે સંઘના દુશ્મન નથી. પરંતુ તેઓ ભારતના દુશ્મન છે.દિલ્હીમાં બેઠેલી દરેક સરકાર તેમની દુશ્મન છે.બહુ દુઃખની વાત છે કે જે અર્બન નકસલવાદીઓની કોંગ્રેસ શાસનમાં ધરપકડો કરવામાં આવી હતી, તે જ કોંગ્રેસ આજે તેમના સમર્થનમાં ઉતરી આવી છે.માત્ર ને માત્ર વર્તમાન મોદીસરકારના વિરોધ માટે દેશના દુશ્મનોને સાથ આપવો એ શું યોગ્ય છે ? એક રાજકીય પક્ષ તરીકે સતાપક્ષનો વિરોધ કરવાનો અધિકાર છે.પરંતુ સતા માટે તમે એટલી હદે બેબાકળા થઇ જાવ કે દેશવિરોધી તત્વોને સાથ આપતા પણ અચકાવ નહીં ? આ ભૂલ અક્ષમ્ય છે.સાચો ભારતીય આવી ભૂલ ક્યારેય માફ કરી શકે નહીં.સૌ દેશવાસીઓએ આવા દેશવિરોધી રાજકીય પક્ષોને ઓળખી લેવાની જરૂર છે.ભારત દેશના ફરીથી ટુકડા ન થાય તે માટે રાજકીય દાવપેચ છોડી બધા રાજકીય પક્ષો સાથે મળીને દેશવિરોધી તત્વોનો ખાત્મો બોલાવવા મક્કમ બને અને આપણે સૌ દેશવાસીઓ પણ લોકોને સરકાર વિરુધ્ધ કે દેશ વિરુધ્ધ ઉશ્કેરતા આવા અર્બન નક્સલીઓને ઓળખી લઇ તેમનો સામાજીક બહિષ્કાર કરીએ અને લોકોમાં દેશ પ્રત્યે જાગૃતતા લાવી ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ ના સપનાને સાકાર કરવામાં સહયોગી બનીએ તે જ પ્રાર્થના.ભારત માતાકી જય – વન્દેમાતરમ.

शहरोँ में बसते और देश के लिए खतरा रूप ऐसे अर्बन नक्सलवादीयों को पहेचाने

विडियो देखें


नक्सलवाद शब्द सुनते ही सामान्यतः हमारे मनमें जंगलो में हाथमे बंदूकें लिए घुमते पिछड़े लोगों का चित्र नजर आता हे. लेकिन यहाँ पर बात करनी हे अर्बन नक्सलवादियों की,यानीं की शहरोँ में बसते नक्सलियों की. पिछलें कुछ समय से यह शब्द बहुत प्रचलित हुआ हे. हालही में प्रधानमंत्री की हत्या की साजिश के आरोप में अर्बन नक्सलवादियों को गिरफतार किया गया.आज हम यह समजने की कोशिष करते हे की वास्तव में यह अर्बन नक्सलवाद क्या हे ?

अर्बन नक्सलवाद के बारे में समजने से पहले, हम नक्सलवाद के बारे में थोड़ी प्राथमिक जानकारी लेते हे. इस प्रवृति की शुरुआत उतर बंगाल के नक्सलबाड़ी तहसील से हुई इसलिए इसको नक्सलवाद नाम दिया गया हे.१९६७में मार्क्सवादी पक्ष के कनु सन्याल और चारू मजुमदार ने जमींदारों के ज़ुल्म के सामने खेत मजदुरों और किरायेदारों के सशस्त्र आन्दोलन की अगुवाई ली,बाद में उनकी गिरफ्तारी हुई,जेल गए और मृत्यु हुई.जहां से इस नक्सलवाद की शुरुआत हुई वहां पर आज ऐसी कोई प्रवृति नहीं चल रही.किन्तुं मार्क्सवादी पक्ष के नेता युवाओं ने इसके बाद अलग अलग आदिवासी विस्तारों में जाकर उनकी समस्याओं में मददरूप होने की बजाय उनको सरकार और देश के विरुध्ध भड़काने का कम शुरू किया और नए नए गुठों का निर्माण किया.जिसे हम माओवाद भी कहते हे.

देश को आज जितना खतरा जिहादी आतंकवाद से नहीं हे उससे कई गुना ज्यादा खतरा नक्सली आतंकवाद से हे.अमरीका के अधिकृत आंकड़ों के मुताबिक इस्लामिक स्टेट्स (आइ.एस.) और तालिबान के बाद तीसरे नंबर का सबसे ज्यादा खतरनाक हिंसक संगठन नक्सलवादियों का हे.आज नक्सली आतंक बंगाल से भी ज्यादा तेलंगाना,छतीसगढ़,ज़ारखंड,उड़ीसा,आंध्रप्रदेश,महाराष्ट्र और कर्नाटका के कुछ विस्तारों में फैला हुआ हे.

अबतक बहोत कम लोगों को यह जानकारी थी की नक्सलवादी सिर्फ जंगलों में नहीं रहेते बल्की शहरोँ में हमारे बिच भी रहते हे.यह शहरी नक्सली आमतौर पर मानव अधिकार कार्यकर्ता,सामाजिक कार्यकर,प्रोफ़ेसर,शिक्षक,पत्रकार,फिल्म निर्माता,अर्थशास्त्री जैसे अलग अलग स्वांग में देखने को मिलते हे.अर्बन नक्सली बहोत सोफेस्टिकेटेड दिखते हे,बहोत अच्छा अंग्रजी भी बोल लेते हे और समाजजीवन में अपनी पहचान बुध्धिजीवी के रूप में बनाये रखते हे.खास करके युवावर्ग और तथाकथित आधुनिकतावादी लोग इनके सॉफ्ट टारगेट रहते हे.अपनी वाक्पटुता और पहली नजर में सच दिखे ऐसे तर्क द्वारा यह लोग सरकार और शासनव्यवस्था के सामने लोगों को भड़काने का कार्य निरंतर करते रहते हे.यह लोग प्रत्यक्ष परोक्ष रूप से मार्क्सवाद के साथ जुड़े होते हे.नियोजित तरीके से चल रही अंडरग्राउंड व्यवस्थाओं का हिस्सा बनकर यह लोग नियमित रूप से एक दुसरे के संपर्क में रहकर अपनी कार्ययोजनाएं बनाते रहते हे.अर्बन नक्सलवादियों द्वारा कई एनजीओ का संचालन हो रहा हे.यह एनजीओ को अलग अलग आतंकवादी गुठों और देश विरोधी विदेशी संस्थाओ की ओर से फंडिंग मिलता रहता हे.इस फंड का उपयोग देश तोड़ने की प्रवृतियों में करते रहते हे.यह अर्बन नक्सली जंगल में रहते अपने साथी नक्सलीओं को क़ानूनी दावपेच और इमानदार अफसरों को फ़साने की ट्रेनिंग भी देने जाते रहते हे.अपने घरों पर नकली हमले करवाना,बलात्कार के जुठे आरोप लगवाना,फर्जी केस करना,पीआईएल करवाना,समाचारपत्रों में सरकार विरुध्ध आर्टिकल लिखना, एसी सभी चीजों में यह लोग माहिर होते हे.युवाओं में असंतोष जगाना,किशान,मजदुर और दलितों को भड़काना, इन सभी चीजों द्वारा सरकार विरुध्ध असंतोष का माहौल बनाने की कोशिष करते रहते हे.ज्ञाति-जाती के बिच वैमनस्यता पैदा करना,लोगों को पुलिस और जवानो के सामने भड़काना,धर्म के प्रति लोगों की श्रध्धा को डगमगा देना,सरकारी तंत्र के सामने गलत आक्षेपों द्वारा उनके मनोबल को तोड़ना,अमीर और मध्यम वर्ग के सामने गरीबो को भड़काना इत्यादि जैसे कार्यो द्वारा यह अर्बन नक्सली हमारे देश की संस्कृति और लोकशाही को ख़त्म करने के कारनामे करते रहते हे.

यह अर्बन नक्सलवादियों का अंतिम ध्येय क्या हे ? यह सवाल सबके मन में होना स्वाभाविक हे.भारतीय गणतंत्र का विभाजन करके,देश को टुकड़ों में बाँटकर छोटे छोटे साम्यवादी देशों की रचना करना और माओवादी चीन जैसे कम्युनिस्ट शासन की स्थापना करना यहीं उनका मुख्य उदेश्य हे.यही वामपंथीओंने आज़ादी पहेले भारत के बटवारे का पूर्णतया समर्थन करके देश के ३० टुकड़े करने की सिफ़ारिश भी की थी.आज भी यह वामपंथी विचारधारा से जुड़े लोग वाणी स्वातंत्र्य के नाम पर अलगाववादी संगठनों का साथ दे रहे हे.

इधर यह भी समजना जरुरी हे की सिर्फ संघ,भाजपा और नरेन्द्र मोदी इन नक्सलवादीओं के दुश्मन नहीं हे, किन्तु यह लोग भारत के भी दुश्मन हे.दिल्ही में बैठी हर सरकार इनकी दुश्मन हे.बहोत दुःख की बात हे की जीन अर्बन नक्सलीओं की कांग्रेस शासनमे गिरफ़्तारी हुई थी इन्ही लोगों के समर्थन में आज पूरी कांग्रेस पार्टी उतर आई हे.सिर्फ और सिर्फ मोदी सरकार के विरोध के खातिर देश के दुश्मनों को साथ देना कितना उचित हे ? एक राजकीय पक्ष के नाते सतापक्ष का विरोध करना आपका अधिकार हे किन्तुं सता के लिए इतनी हद तक गिरना की देश विरोधी तत्वों को साथ देने में भी आपको कोई हिचकिचाहट नहीं ? यह भूल अक्षम्य हे.सच्चा भारतीय एसी भूल कभी माफ़ नहीं कर शकता.सब देशवासियों ने ऐसे देश विरोधी राजकीय पार्टी को पहेचान लेना बहोत जरुरी हे.देश के फिरसे टुकड़े हो इसलिए सभी राजकीय दावपेच छोड़कर सभी राजकीय पार्टियाँ एक साथ मिलकर देश विरोधी तत्वों को ख़तम करने हेतु कटिबध्ध बने,ऐसे अर्बन नक्सलीओं को पहचानकर उनका सामाजिक बहिष्कार करे और लोगों में देश के प्रति जागरूकता बढ़ें एसे प्रयत्न करएक भारतश्रेष्ठ भारतके सपने को साकार करने में आप सब भी सहयोगी बने इसी प्रार्थना के साथभारत माता की जयवंदेमातरम्