શનિવાર, 30 ઑગસ્ટ, 2008

નોન રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) એકાઉન્ટ અને નોન રેસીડેન્ટ ઓર્ડીનરી(NRO) એકાઉન્ટ વિશે પાયાની માહીતીઃ


નોન રેસીડેન્ટ એક્સ્ટર્નલ (NRE) એકાઉન્ટ અને નોન રેસીડેન્ટ ઓર્ડીનરી(NRO) એકાઉન્ટ વિશે પાયાની માહીતીઃ


બીન નિવાસી ભારતીયો જ્યારે ભારતમાં તેમનું બેંક એકાઉન્ટ ખોલાવવાનું વિચારે છે ત્યારે સામાન્ય રીતે તેઓ ગડમથલમાં હોય છે કે ક્યા પ્રકારનું બેંક એકાઉન્ટ ખોલાવવું? NRE એકાઉન્ટ કે NRO એકાઉન્ટ?આજે આ લેખ દ્વારા આપણે NRE અને NRO એકાઉન્ટની ખાસીયતો અને તફાવતો વિશે સમજશું.
#NRE - Non Resident External Account.


-NRE એકાઉન્ટમાં મુડી ભંડોળ નું ચલણ ભારતીય રુપીયો છે.
-NRE એકાઉન્ટ જુદાં જુદાં પ્રકારનાં હોય છે.-બચત ખાતું,ચાલું ખાતું કે બાંધી મુદત ની થાપણનું ખાતું હોય શકે.
-NRE એકાઉન્ટ ફ્ક્ત બીન નિવાસી ભારતીયો જ ખોલાવી શકે છે.
-NRE એકાઉન્ટમાં જમા રાખેલ મુડી ખુબ આસાનીથી કોઈપણ દેશમાં મોકલાવી શકાય છે.
-વિદેશમાંથી કમાયેલી મુડી NRE એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે તેમજ બીજાં NRE એકાઉન્ટમાંથી મુડી તબદીલ થઈ શકે છે.
-NRE એકાઉન્ટમાંથી NRO એકાઉન્ટમાં મુડી તબદીલ કરી શકાય છે.
-NRE એકાઉન્ટ સંયુક્ત રીતે ખોલાવી શકાય છે પરંતુ તેમાનાં બંને વ્યક્તીઓ બીન નિવાસી ભારતીય હોવા જરુરી છે.
-NRE એકાઉન્ટ માં રાખેલી મુડી પર નાં વ્યાજની આવક બીલકુલ ટેક્ષ ફ્રી હોય છે.
-NRE એકાઉન્ટ માં નોમીનેશન થઈ શકે છે.
-બીન નિવાસી ભારતીય જ્યારે કાયમી ધોરણે ભારતીય નીવાસી થઈ જાય ત્યારે NRE એકાઉન્ટ સામાન્ય બેંક એકાઉન્ટમાં તબદીલ થઈ શકે છે.


#NRO - Non Resident Ordinary Account
-NRO એકાઉન્ટમાં મુડી ભંડોળ નું ચલણ ભારતીય રુપીયો છે.


-NRO એકાઉન્ટ જુદાં જુદાં પ્રકારનાં હોય છે.-બચત ખાતું,ચાલું ખાતું કે બાંધી મુદત ની થાપણનું ખાતું હોય શકે.


-NRO એકાઉન્ટ ફ્ક્ત બીન નિવાસી ભારતીયો જ ખોલાવી શકે છે.


-ભારતીય નાગરીક જ્યારે બીન નિવાસી ભારતીય થઈ જાય ત્યારે તેનું બેંક એકાઉન્ટ NRO એકાઉન્ટ તરીકે તબદીલ થઈ શકે છે.
-NRO એકાઉન્ટમાં જમા રાખેલી મુડી વિદેશ મોકલી શકાતી નથી તેનો ઉપયોગ ફ્ક્ત ભારતમાં જ થઈ શકે છે.
-NRO એકાઉન્ટમાં ફ્ક્ત ભારતમાંથી જ મેળવેલી મુડી જ જમા થઈ શકે છે,વિદેશમાંથી કમાયેલી મુડી તેમાં જમા થઈ શકતી નથી.
-NRO એકાઉન્ટમાંથી NRE એકાઉન્ટમાં મુડી તબદીલ થઈ શકે નહીં.


-NRO એકાઉન્ટ સંયુક્ત રીતે પણ ખોલાવી શકાય છે.તેમજ બીજી વ્યક્તી બીન નિવાસી ભારતીય અથવાતો ભારતીય નીવાસી હોય તો પણ સંયુક્ત રીતે NRO અકાઉન્ટ ખોલાવી શકાય છે.
-NRO એકાઉન્ટમાં રાખેલી મુડી પરનાં વ્યાજની આવક કર પાત્ર છે.
-NRO એકાઉન્ટમાં નોમીનેશન થઈ શકે છે.
-બીન નિવાસી ભારતીય જ્યારે કાયમી ધોરણે ભારતીય નીવાસી થઈ જાય ત્યારે NRO એકાઉન્ટ સામાન્ય બેંક એકાઉન્ટ તરીકે તબદીલ થઈ જાય છે.

બુધવાર, 13 ઑગસ્ટ, 2008

બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આજથી જ રોકાણ કરો.


બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આજથી જ રોકાણ કરો.
પોતાના બાળકનું ઉજળું ભવિષ્ય એ દરેક મા-બાપ નું અગ્રીમ ધ્યેય હોય છે.જ્યારે બાળકો માટે કંઈપણ ખર્ચ કરવાની વાત આવે ત્યારે મા-બાપ પોતે પોતાનાં માટેનાં ખર્ચમાં કાપ મુકીને,ગમે તેવું ચલાવીને પણ બાળકોને સર્વોતમ આપવાની કોશીષ કરતાં હોય છે.દરેક મા-બાપ પોતાનાં બાળકોનાં ભરણ-પોષણ તથા ભણતર બાબતે જરાપણ નબળું ચલાવી લેવાનાં મુડમાં હોતા નથી.પરંતુ હવે આજનાં સમયમાં ભણતરનાં ખર્ચાઓ ખુબ વધી ગયાં હોવાથી સામાન્ય વર્ગનાં લોકો માટે તો પોતાનાં બાળકોને સારી સ્કુલ-કોલેજોમાં ભણાંવવું અશક્ય થઈ ગયું છે તેમજ મધ્યમ વર્ગનાં લોકો માટે પણ આ ખર્ચાઓ ઉપાડવા અસહ્ય થઈ ગયા છે.જે મા-બાપ પોતાનાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે અત્યારથી જો નિયમીત રીતે રોકાણ કે બચત નહીં કરે તો તેઓ માટે તેમનાં બાળકોને સારી શૈક્ષણીક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરાવવાનાં સપનાંઓ માત્ર સપનાં જ બની રહેશે.વિશ્વનાં બીજા દેશોમાં જેમ યુવાનો ભણવાની સાથે કામ કરીને પોતાનાં ભણતરનાં ખર્ચાઓ પોતેજ ઉપાડતાં હોય છે તેનાંથી વિરુધ્ધ ભારતમાં હજુપણ બાળકોને ભણાવવાની જવાબદારી મા-બાપનાં ખભા પર જ રહે છે.
વર્તમાન સમયમાં સારી શૈક્ષણીક સંસ્થાઓમાં એમ.બી.એ. કરવાનો કુલ ખર્ચ ૧૧ લાખ જેટલો થાય છે.હવે જો સરેરાશ ૮% લેખે ફુગાવાનો દર ધારીએ તો આજથી ૧૫ વર્ષ પછી તે ખર્ચ ૩૫ લાખ જેટલો થઈ જશે.જો કોઈ મા-બાપ અત્યારથી દર મહીને જો ૮૫૦૦ રુપિયાની બચત ૧૫ વર્ષ સુધી કરશે તો તે વખતે આટલાં રુપિયા ભેગાં થઈ શકશે.
પરંતુ દુઃખની વાત એ છે કે આપણાં વ્યક્તિગત નાંણાંકીય આયોજનો માં કે કુટુંબની બચતોમાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે કોઈ અલગથી જોગવાઈ રાખવામાં આવતી નથી.બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે નીચે મુજબનાં બે સિધ્ધાંતો મુજબ આયોજન કરી શકાય.
(૧).અત્યારથી નિયમિત રીતે રોકાણ કરવું.
(૨).કોઈપણ આકસ્મિક ઘટનાં સામે નાંણાંકીય સુરક્ષા મેળવવી.
હાલ,માર્કેટમાં બાળકો માટે ઘણાંબધાં પ્રકારનાં ઇન્શ્યુરન્સ પ્લાન ઉપલબ્ધ છે જેનાં દ્વારાં બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ માટે આયોજન કરી શકાય છે.જેમાં મુખ્યત્વે બે પ્રકાર છે ૧,યુનીટ લીંક ઇન્શ્યુરન્સ પ્લાન(યુલીપ),૨,મનીબેક પ્લાન.

યુલીપ પ્લાન પ્રમાણમાં ખુબજ સરળ તથા સુગમ છે જેમાં પોલીસી ની ટર્મ તેમજ વિમાની રકમ આપણી જરુરીયાત મુજબ રાખી શકાય છે તેમજ જ્યારે જરુર પડે ત્યારે ઉપાડ પણ કરી શકાય છે.જ્યારે મનીબેક પ્લાનમાં અમુક નિયત સમયે જ તેમાંથી તબક્કાવાર રુપિયા પરત મળે છે.સામાન્ય રીતે ચીલ્ડ્ર્ન પ્લાન ની ટર્મ ૧૫ વર્ષની હોય છે.અને ૦ થી ૧૫ વર્ષનાં બાળકો માટે આ પોલીસી લઈ શકાય છે.સામાન્ય રીતે દસમું ધોરણ,બારમું ધોરણ,ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે વધારે રુપિયાની જરુરિયાત પડ્તી હોય છે તો આ માટે યુલીપ પ્લાનમાંથી જરુરીયાત મુજબ તબક્કાવાર ઉપાડ કરી શકાય છે,આ ઉપરાંત જો બાળકનાં પિતાનું મ્રુત્યુ થાય તો તવાં સંજોગો માં તેનાં કુટુંબીજનોને વિમાની રકમ મળે છે જેનાંથી ભવિષ્યની જવાબદારીઓ ઉપાડી શકાય છે.અને પોલીસી ત્યાં પુરી થઈ જાય છે.અમુક વિમા કંપનીઓની એવી પોલીસીઓ પણ ઉપલબ્ધ છે કે જેમાં જો પિતાનું મ્રુત્યું થાય તો તાત્કાલીક ધોરણે તેનાં કુટુંબીઓ ને વિમાની રકમ તો મળે જ છે તે ઉપરાંત પોલીસી ત્યાં પુરી થતી નથી ,પોલીસી ચાલુ રહે છે અને બાકી રહેતાં પ્રીમીયમ વિમા કંપની પોતે તેનાં વતી ભરે છે તેથી પોલીસી ની મુદત પુરી થયે એક મોટી રકમ પરત મળે છે એટલે જે હેતુ થી પોલીસી લેવામાં આવી હોય તે હેતુ કોઈપણ સંજોગો માં પણ સિધ્ધ થઈને જ રહે છે.

આમ,પોતાની જરુરીયાત મુજબ નિયમિત રીતે આજથી જ રોકાણ ચાલુ કરી બાળકોનાં ભવિષ્યનાં ભણતરનાં ખર્ચાઓ સામે સુરક્ષા મેળવી શકાય છે.

મંગળવાર, 5 ઑગસ્ટ, 2008

IPO નાં રિફન્ડની સમસ્યાનાં ઉકેલ માટે સેબીની નવી માર્ગદર્શીકા જાહેર


IPO નાં રિફન્ડની સમસ્યાનાં ઉકેલ માટે સેબીની નવી માર્ગદર્શીકા જાહેર.
IPO નાં રિફન્ડ માટે હવેથી રોકાણકારોએ રાહ નહીં જોવી પડે.

અત્યાર સુધી પબ્લીક ઇશ્યુમાં રોકાણકારોએ ભરેલા નાંણાં નાં રિફન્ડ માટે એક એક મહીના સુધી રાહ જોવી પડ્તી હતી અમુક કિસ્સાઓમાં તો બે-ત્રણ મહીનાઓ સુધી પણ રિફન્ડ આવેલા નથી તો આવી પરિસ્થિતિમાં રોકાણકારોનાં નાણાં સાવ ફાજલ રીતે રોકાયેલાં ના રહે અને રોકાણકારોને તેનું રિફન્ડ ત્વરીત મળી જાય એવી કાંઇક વ્યવસ્થા ગોઠવવા માટે સેબી સમક્ષ ઘણાં સમયથી માંગણી હતી તે અનુસંધાને તાજેતરમાં જ સેબીએ પબ્લીક ઇશ્યુમાં અરજી કરતી વખતે નાણાં બેંકમાં જ જમા રહે અને એલોટમેન્ટ પછી જ જેટલું એલોટ્મેન્ટ થાય એ પ્રમાણે જ અરજદાર નાં બેંક એકાઉન્ટમાંથી નાણાં ડેબીટ થાય એવી વ્યસ્થા અમલમાં મુકવા માટે પરીપત્ર જાહેર કર્યો છે.શરુઆતમાં પ્રાયોગીક ધોરણે આ પ્રોજેક્ટ શરુ થશે અને અરજી કરતી વખતે ચેક ભરવાની અને એકાઉન્ટ માંથી બધી રકમ ડેબીટ થાય તેવી અત્યારની વ્યવસ્થા ચાલુ રહેશે અને તે સાથે નવી વ્યવસ્થા પણ અમલી બનશે.આ નવી વ્યવસ્થાને એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એકાઉન્ટ કહેવાશે અને જે બેંકો આ સવલત તેનાં ગ્રાહકોને આપવા માંગતી હશે તેણે સેબીની મંજુરી લેવી પડ્શે.જે બેંકો આ બ્લોક્ડ એકાઉન્ટવાળી અરજી માટે આગળ આવશે તેમની નિર્ધારીત શાખાઓમાં થતી અરજીઓને નવી સવલતનો લાભ મળશે.આમ,બેંકમાં જેનું ખાતું હશે તેને જ બેંકો આવી સવલત આપશે.હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી બેંકોએ આ માટે સહમતી દર્શાવી છે.
આ નવી વ્યવસ્થા મુજબ ભારતીય વ્યક્તીગત રોકાણકારો માત્ર કટ ઓફ ભાવે જ અરજી કરી શકશે અને બુક બીલ્ડીંગવાળા ઇશ્યુને જ આ સવલત મળશે.રીઝર્વ કેટેગરી હેઠળની અરજીને હાલ આ લાભ નહીં મળે અને આ વ્યવશ્થા મુજબ અરજી કર્યા બાદ તેમાં ફેરફાર થઈ શકશે નહીં.અલોટમેન્ટ નક્કી થયા બાદ જેનું જેટલું અલોટમેન્ટ થશે અટલાં પ્રમાણમાંજ તેનાં બેંક અકાઉન્ટમાંથી નાણાં ઉધારવામાં આવશે અને બાકીનાં નાણાં છુટા કરાશે,ત્યાં સુધી સંપુર્ણ અરજીનાં નાણાં બ્લોક રહેશે.હાલ,સેબી નવી અને જુની બંને પધ્ધતી ચાલુ રાખશે નવી યોજનાને સંપુર્ણ સફળતા મળે તે પછી જુની પધ્ધતી રદ કરવામાં આવશે અને પબ્લીક ઇશ્યુનાં બધાં વહેવાર નવી પધ્ધતી મુજબ જ થશે.
આ યોજના ક્યારથી લાગુ થશે તે માટેની તારીખ હજુ સેબીએ જાહેર કરેલ નથી.પરંતુ જો આ યોજનાનો જો તત્કાલીક ધોરણે અમલ થાય તો નાનાં રોકાણકારોનાં પબ્લીક ઇશ્યુમાં નાંણાં અટવાતાં અટકી જશે.આમ,નાનાં રોકાણકારો માટે આ એક આનંદનાં સમાચાર છે.ભુતકાળમાં પબ્લીક ઇશ્યુઓમાં થયેલાં ખરાબ અનુભવોને લીધે રોકાણકારો નું પબ્લીક ઇશ્યુઓમાં નાણાં રોકવા માટેનું આકર્ષણ ઘટતું હતું તેને હવે ફરીથી વેગ મળશે.