ગુરુવાર, 12 નવેમ્બર, 2009

ધંધા માટે મુડી મેળવવી હવે સહેલી છે.

જો તમારી પાસે નવો વિચાર,આવડત અને તનતોડ મહેનત કરવાની તૈયારી હોય તો 'વેન્ચર કેપીટાલીસ્ટો' મુડી લગાવવા તૈયાર છે.
એક જમાનો એવો હતો કે લોકો પાસે નવીનતમ પ્રકારનો ધંધાનો વિચાર હોય,આવડત હોય અને મહેનત કરવાની તૈયારી પણ હોય પરંતુ પુરતી મુડીનાં અભાવે કાં તો એ વિચાર પડ્તો મુકવો પડતો અથવા તો તે ધંધાનો જોઈએ તેટલો વિકાસ ના કરી શકતાં.ઉધોગ સાહસિકોને ધંધા માટે લોન મેળવવામાં નાકે દમ આવી જતો તેવી પરિસ્થિતિ હતી.પરંતુ હવે યુગ બદલાયો છે.હવે ધંધા માટે મુડી ઉભી કરવા માટે બેંકોની મૌતાજી કરવાની જરુર નથી.જો તમારી પાસે ધંધાનો કોઈ નવીનતમ વિચાર હોય અને સાથે સાથે તમારાં માં આવડ્ત અને મહેનત કરવાની લગન હોય તો હવે તમે ધંધા માટે સહેલાઈ થી મુડી મેળવી તમારા ધંધાને વિશ્વકક્ષાએ લઈ જઈ શકશો.તમે ધારો તેટલો તેનો વિકાસ કરી શકશો.મુડીનો અભાવ હવે તમારાં માટે બાધારુપ નહીં બને.ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટોની ફૌજ તમારાં ધંધામાં મુડી રોકી તમારાં ભાગીદાર બનવા માટે તૈયાર ઉભી છે.
'વેન્ચર કેપીટલ' એટલે શું?
વેન્ચર કેપીટલનો સાવ સરળ અર્થ કાઢીએ તો વેન્ચર કેપીટલ એટલે કોઈ નવા વ્યવસાય કે સાહસ માં રોકાણ કરવું.જ્યારે કોઈ ઉધોગ સાહસિક પોતાનો ધંધો શરુ કરે અને તેને મુડી ની જરુર હોય તો તે એવાં રોકાણકારની શોધ કરે કે જે ભવિષ્યનાં મોટાં લાભની આશાએ તેનાં સાહસમાં રોકાણ કરવા તૈયાર થઈ જાય.મુડી મેળવવાનાં આ પ્રકાર ને વેન્ચર કેપીટલ કહે છે.
વેન્ચર કેપીટાલીસ્ટ એટલે શું?
તાજેતર માં જ આપણે સમાચારો માં વાંચ્યું કે ઈન્ફોસીસ કંપનીનાં સ્થાપક નારાયણ મુર્તી એ ઈન્ફોસીસ નાં આઠ લાખ શેર્સ વેંચીને ૧૭૪.૩૦ કરોડ રુપીયાની મુડી ઉભી કરી અને તે હવે આ મુડી વડે 'કેટામારન' નામની પોતાની એક વેન્ચર કેપીટલ કંપની ઉભી કરે છે.એટલે કે નારાયણ મુર્તી હવે 'વેન્ચર કેપીટાલીસ્ટ' બની ગયા.નારાયણ મુર્તી ની જેમ જ ભારતનાં બીજાં ઘણાં મોટાં ઉધોગ ગ્રુહો એ પણ પોતાની વેન્ચર કેપીટલ કંપની શરુ કરી છે.તેઓ હવે ભારતમાં ઉધોગ સાહસિક્તાને પ્રોત્સાહન આપવા તેમજ પોતાનાં રોકાણો પર ભવિષ્યમાં તગડું વળતર મેળવવાની આશા એ નવાં ઉધોગ સાહસો માં મુડી રોકાણ કરશે.ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટો નો એક નવો વર્ગ ઉભો થયો છે કે જેઓ પોતાની મુડી લગાડી બીજાની મહેનતે પોતે રુપીયા કમાશે.વેન્ચર કેપીટલ ફંડ એ ઉધોગ સાહસિક અને વેન્ચર કેપીટાલીસ્ટ બંને માટે એક સરખું ફાયદા રુપ છે.કારણ કે ઉધોગ સાહસિક ને ધંધાનાં વિકાસ માટે મુડી ની જરુરીયાત છે જ્યારે વેન્ચર કેપીટાલીસ્ટ ને ભવિષ્યમાં ઉંચું વળતર મળે તેવી જગ્યા એ પોતાની મુડીનું રોકાણ કરવું છે.એટ્લે બંને પક્ષની જરુરીયાતો વેન્ચર કેપીટલ ની વ્યવસ્થાથી સંતોષાય છે.
વેન્ચર કેપીટલ કેવી રીતે મેળવશો?
વેન્ચર કેપીટલ મેળવવા માટે ઉધોગકારે થોડી જટીલ પ્રક્રીયામાંથી પસાર થવું પડે છે.સૌ પ્રથમ તો તમારે તમારો સંપુર્ણ બીઝ્નેશ પ્લાન તૈયાર કરવૉ પડે છે.જેમાં તમે જે ધંધો કરવા માંગો છો અથવા તો કરો છો તેનાં વિશેની સંપુર્ણ વિગતો એટલે કે ધંધાનું સ્વરુપ,વિકાસની તકો,હરીફાઈ,હરીફોની વિગતો,તમારી આવડત,તમારી મુડી,બીઝનેશ પ્રોજેક્શન,સંભવીત નફો,મુડીની જરુરીયાત વગેરે બાબતો નો સમાવેશ બીઝનેશ પ્લાન માં થાય છે.બીઝનેશ પ્લાન તૈયાર થઈ ગયા બાદ જુદી જુદી વેન્ચર કેપીટલ કંપનીઓ ને તે બીઝનેશ પ્લાન મોકલાવો જે કંપની ને તમારાં બીઝનેશ માં રસ પડશે તે વેન્ચર કેપીટલ કંપની તમને રુબરુ મળવા માટે બોલાવશે અને તમારી પાસે થી વધારે વિગતો મેળવશે તેમજ તમારી કાબેલીયત ચકાસશે અને ધંધાનાં સારાં ખરાબ પાસાઓની તમારી સાથે વિગતવાર ચર્ચા કરશે.જરુર પડશે તો તે ક્ષેત્રનાં નિષ્ણાંતોની પણ તે સલાહ લેશે.આમ,બધું જો સમુ સુતરું ઉતરે તો તેઓ તમને વેન્ચર કેપીટલ ફંડ આપી તેનાં પ્રમાણમાં તમારી કંપનીનાં શેરનૉ હિસ્સો મેળવશે.
આ બાબતે વધારે માહીતી આપ 'ઇન્ડીયન વેન્ચર કેપીટલ એશોશીયેશન' ની વેબ સાઈટ www.indiavca.org પર થી મેળવી શકશો.

1 ટિપ્પણી:

Piyush Patel કહ્યું...

i liked this article.i was not able to understand word venture capitalist but you explained it .. thnaks