ગુરુવાર, 13 ડિસેમ્બર, 2018

મૂલ્યનિષ્ઠ સમાજવ્યવસ્થા સાથેના સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશના નિર્માણ માટે મીડિયાનો સહયોગ અનિવાર્ય છે.


લોકશાહીના ચાર મુખ્ય આધારસ્તંભ હોય છે. સંસદ/ધારાસભા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ચોથો સ્તંભ છે મીડિયા.આ ચારેય સ્તંભ જો મજબૂત હોય તો જ લોકશાહી ટકી રહે. આ ચારેય સ્તંભમાં સૌથી અગત્યનું મીડિયા છે. કારણ કે મીડિયા એ બીજા ત્રણેય પર નજર રાખે છે. બીજા ત્રણેય સ્તંભને મીડિયા સજાગ રાખે છે અને દેશહિતમાં કામ કરવાની ફરજ પાડે છે.અખબારો સાથે ટીવી ચેનલ્સ, વેબસાઇટ અને મોબાઇલ એપનો પણ સમાવેશ મીડિયામાં થાય છે.

આપણા દેશનું સદભાગ્ય રહ્યું છે કે બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનારાઓમાં તે સમયે પણ મીડિયા અગ્રેસર હતું. ચાહે તે અમૃત બઝાર પત્રિકા હોય કે કેસરી, પંજાબી હોય કે ગદ્દર, કે પછી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને જન્મભૂમિ-ફૂલછાબ નામના અમૃતલાલ શેઠનાં સમાચારપત્રો, બધાએ ડર્યા વગર બ્રિટિશરો સામે અવાજ ઉઠાવ્યો. પરંતુ જ્યારે આઝાદી બાદ થોડાં વર્ષો પછી દેશમાં કટોકટી લદાઈ અને સમાચારપત્રોને ગળાટૂંપો દેવાયો, સરકાર કહે તે જ સમાચાર છાપવાના તેવો નિયમ આવ્યો ત્યારે, લાલકૃષ્ણ અડવાણીજી કહે છે તેમ, સરકારે ઝૂકવાનું કહેલું પરંતુ અમુક માધ્યમોએ તો રીતસરના દંડવત્ કરી દીધેલા. જોકે એ સમયે ઘણાં સમાચારપત્રો અને સામયિકો એવાં પણ હતા કે જેમણે પોતાની ફરજ સુપેરે નિભાવી અને કટોકટી સામે લડત આપવામાં પોતાનો મહામૂલો ફાળો પણ આપેલો.

જે દેશમાં મીડિયાનું વ્યવસાયીકરણ થવા લાગે અને મિશનમાંથી જયારે તે પ્રૉફેશન બની જાય ત્યારે તે દેશનાં ભવિષ્ય સામે પણ બહુ મોટો પ્રશ્નાર્થ સર્જાય છે. કૉર્પોરેટ કંપનીઓને સીએસઆર દ્વારા પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવાની ફરજ પડાતી હોય ત્યારે રાજકીયપક્ષોની સાથે સાથે મીડિયા પણ પોતાની સામાજિક જવાબદારી સુપેરે નિભાવે તે દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે. તંત્રની જ્યાં યોગ્ય હોય ત્યાં ટીકા ચોક્કસ કરવી, રાજકારણીઓ પોતાની જવાબદારી નૈતિક્તાથી ન નિભાવે ત્યારે નિઃસંકોચ તેમને ખુલ્લાં પાડવા,ભ્રષ્ટાચારીઓને કોઈપણ ડર વગર સમાજ સામે ખુલ્લાં પાડી તેને સજા મળે તે માટે સરકાર કે તંત્રને ટપારતા રહેવું તે મીડિયાની પ્રાથમિક ફરજ છે.પરંતુ દરેક બાબતોમાં માત્ર ને માત્ર નેગેટિવિટી જ ફેલાવવી તે ઉદ્દેશ્ય મીડિયાનો ક્યારેય ન હોઈ શકે. ભારત દેશ ખરાબ જ છે, અહીં કોઈ સુધારો થવાનો જ નથી, આવી છાપ ઊભી થાય, આપણું બૌદ્ધિક ધન વિદેશ જતું રહે અને વિદેશમાં પણ આપણી છાપ મીડિયાના કારણે ખરડાય તે શું યોગ્ય છે ? બળાત્કારો હોય કે કૌભાંડો, કે પછી અન્ય અપરાધો, તે વિદેશમાં પણ થતા રહે છે પરંતુ વિદેશોનું મીડિયા એક પ્રમાણભાન રાખીને તેને બતાવે છે. અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બરે થયેલા ત્રાસવાદી હુમલાની એક પણ નકારાત્મક તસવીર ત્યાંના મીડિયાએ બતાવી નહોતી.

ભારતના ઋષિતુલ્ય પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ. પી. જે. અબ્દુલ કલામે લખેલું, ભારતનું મીડિયા આટલું બધું નેગેટિવ કેમ છે? ભારત દેશ અનેક બાબતમાં આગળ છે તો પણ ભારતનું મીડિયા જ ભારતને હંમેશાં નેગેટિવ કેમ ચિતરે છે? તેમણે લખ્યું છે કે,હું એક વાર ઇઝરાયેલના પ્રવાસ પર હતો.હું તેલ અવીવ પહોંચ્યો તેના આગલા દિવસે ઈઝરાયેલમાં હમાસે ત્રાસવાદી હુમલાઓ કર્યા હતા અને ઘણાં લોકોનાં મૃત્યુ થયાં હતાં.સવારે મેં ઈઝરાયેલનું એક સમાચારપત્ર વાંચ્યું. પરંતુ સમાચારપત્રના પ્રથમ પાને એક યહુદી સદગૃહસ્થની તસવીર સાથેના સમાચાર હતા. તે સદગૃહસ્થે ત્યાંના રણને વનમાં ફેરવી નાખ્યું હતું. આ પ્રેરણાદાયક સમાચાર બધાને સવારમાં વાંચવા મળ્યા.બૉમ્બ ધડાકા,હત્યા વગેરે સમાચારો સમાચારપત્રમાં અંદરના પાને બીજા સમાચારો કરતાં ખુબ જ ઓછા પ્રમાણમાં છપાયા હતા.

મીડિયાનો સમાજ અને ખાસ કરીને યુવાનો પર બહુ મોટો પ્રભાવ હોય છે.આજનો યુવાન નિરાશાવાદી કે અરાજકતાવાદી ન બને અને યુવાનોની શક્તિનો દુરપયોગ ન થાય તે પ્રકારની સમજણ કેળવવામાં મીડિયાનો રોલ પણ ખુબ મહત્વનો છે.જીવન જીવવાની સાચી દિશા મળે તે પ્રકારના અનેક પૉઝિટિવ સમાચારો દેશ અને દુનિયામાં બનતા જ રહે છે.આવા પ્રેરણાદાયી સમાચારો વધુ ને વધુ પ્રસારિત થાય તે જરૂરી છે.

સરકારની સાથે સાથે દેશના નાગરિકોને પણ તેમની ફરજ પ્રત્યે જાગૃત કરવા અત્યંત જરૂરી છે.આપણે ત્યાં મીડિયામાં કોઈ પણ વાત માટે સરકારને દોષ દેવાની ફૅશન થઈ ગઈ છે. પહેલાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કંઈ પણ બોલે કે તેમના કાર્યક્રમો યોજાય કે યોજાવાના હોય તો સમાચારપત્રો પ્રથમ પાને ફ્રન્ટ હેડલાઇન બનાવતા હતા. પરંતુ કાળક્રમે મીડિયાએ પ્રથમ પાને નેગેટિવ ન્યૂઝને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું. આ નેગેટિવિટીના લીધે દેશનાં નાગરિકોમાં પણ ઉદાસીનતા-નિરાશા ફેલાવા લાગે છે.અમુક અખબારોએ તો મુંબઈમાં ૧૯૯૩માં બૉમ્બ ધડાકા કરવામાં દોષિત પૂરવાર ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસી થઈ ત્યારે મેમણ પ્રત્યે સહાનુભૂતિ થાય તેવું હેડિંગ આપેલું. અત્યારે પણ કમનસીબે મીડિયાનો એક વર્ગ એવો છે જ જે હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ માટે ‘વર્કર’ શબ્દ વાપરે છે.

સામાજિક સૌહાર્દ જાળવવામાં મદદ કરવાની પોતાની ફરજ પણ મીડિયા ક્યારેક ચૂકી જાય અને સામાજિક કે સાંપ્રદાયિક વૈમનસ્ય વધે તેવા સમાચારો મરીમસાલા ભભરાવીને છાપે તે એક સાચા દેશપ્રેમી માટે બહુ પીડાદાયક છે.આ જ રીતે ભારતીય સંસ્કૃતિની સાચી વાત લોકો સુધી પહોંચે,યુવાનોમાં રાષ્ટ્રગૌરવ વધે,યુવાનોમાં ઉતમ ચારિત્ર્યનું ઘડતર થાય, પ્રમાણિકતા, વફાદારી, સત્ય,અહિંસા,પરિવારપ્રેમ,ભાઈચારો વગેરે જેવા મૂલ્યોનું સિંચન થાય તે પ્રકારની વાતો-સમાચારો વધુ ને વધુ પ્રસિદ્ધ કરવાને બદલે ઘણી વાર કોઈ મીડિયા વિકૃતિવાળા સમાચારોને વધુ મહત્વ આપતું જણાય ત્યારે દુઃખ થાય છે. જો દેશનું મીડિયા દેશહિત અને સમાજહિતને વધુ પ્રાધાન્ય આપશે તો જ આપણે મૂલ્યનિષ્ઠ સમાજ વ્યવસ્થા સાથેના સમૃદ્ધ અને સુસંસ્કૃત દેશ તરીકેનું ગૌરવ જાળવી શકીશું.

કોઈપણ સંજોગોમાં દેશનાં યુવાનોમાં દેશ પ્રત્યે ક્યારેય નફરત પેદા ન થાય,સૌ દેશવાસીઓ દેશહિતને અગ્રતા આપે,જ્ઞાતિ-જાતી ધર્મના વાડાઓમાંથી લોકો બહાર નીકળી રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે પ્રમાણિકતાપૂર્વક દેશની ઉન્નતી અને વિકાસ માટે વિચારતાં થાય તે રીતનું વાતાવરણ ઉભું થાય તે માટે મીડિયા વધુ ને વધુ સહયોગી બને અને સૌ મીડિયાકર્મીઓ સંપૂર્ણ હકારાત્મકતા સાથે રાષ્ટ્રના પુનરુત્થાનમાં સહયોગ આપી પોતાનો દેશપ્રેમ વધુ ને વધુ વ્યક્ત કરતા રહે તે જ અભ્યર્થના.ભારત માતા કી જય – વંદેમાતરમ.

मूल्यनिष्ठ समाजव्यवस्था के साथ समृध्ध और सुसंस्कृत राष्ट्रनिर्माण के कार्य में मिडिया का सहयोग अनिवार्य है.


लोकशाही के मुख्य चार आधारस्तंभ होते हे.संसद/धारासभा,कार्यपालिका,न्यायपालिका और चौथा स्तंभ हे मिडिया.यह चारों स्तंभ अगर मजबूत हे तभी लोकशाही टिकी रहती हे.यह चारों में से सबसे ज्यादा महत्वपूर्ण स्तंभ मिडिया हे.क्यूंकि मिडिया बाकि के तीनो स्तंभ पर नजर रखता हे.बाकि के तीनो स्तंभ को मिडिया सतर्क रखता हे और देशहित में कार्य करने का कर्तव्य याद दिलाता रहेता हे.अखबारों के साथ टीवी चेनल्स,वेबसाइट और मोबाईल एप भी मिडिया का ही हिस्सा हे.

हमारे देश का सौभाग्य रहा हे की अंग्रेजो के सामने आवाज उठानेमें उस समय का मिडिया अग्रेसर रहा था.चाहे वो अमृत बाज़ार पत्रिका हो या केसरी,ग़दर हो या पंजाबी या फिर गुजरात में सौराष्ट्र और जन्मभूमि-फुलछाब नामक अमृतलाल शेठ के समाचारपत्र.सभी ने बिना कोई डर अंग्रजों के सामने आवाज उठाई.किन्तुं जब आज़ादी के कुछ सालों बाद देश में जब आपातकाल लगाया गया तब समाचारपत्रों का गला घोंट दिया गया और जो सरकार कहे वहीँ खबर प्रसिध्ध करने का नियम लागु हुआ तब लालकृष्ण अडवाणीजी कहेते हे यूँ सरकारने सिर्फ जुकने को कहा था लेकिन कुछ माध्यमो ने तो साक्षात् दंडवत कर दिया.हालांकि उस समय कई ऐसे भी समाचारपत्र और सामायिक थे जिन्होंने देश के प्रति अपना फर्ज निभाया और आपातकाल के सामने हुई नागरिक स्वतंत्रता की लड़ाई में अपना अमूल्य योगदान दिया.

जिस देशमें मिडिया का व्यवसायिकरण होने लगे और मिशन के बदले जब मिडिया सिर्फ प्रोफेशन बनकर रह जाये उस देश के भविष्य के सामने बहोत बड़ा प्रश्नार्थ खड़ा हो जाता हे.कोर्पोरेट कंपनियो को सीएसआर के तहत अपना सामाजिक दायित्व निभाने का दबाव डाला जाता हो तब राजकीयपक्षों के साथ साथ मिडिया भी अपनी सामाजिक जिम्मेवारी अच्छे से निभाए यह देश के उज्जवल भविष्य के लिए अत्यंत आवश्यक हे.सही बात पे तंत्र की टिका अवश्य करें,राजकारणी भी जब अपनी जिम्मेवारी नैतिकता से संभाले तब उसको निःसंकोच उजागर करें,भ्रष्टाचारीओं को भी समाज के सामने बेनकाब करके उसको त्वरित सजा मिले इसलिए तंत्र को टटोलते रहेना यह मिडिया का प्राथमिक फ़र्ज़ हे.किन्तुं सभी चीजों में सिर्फ और सिर्फ नेगेटिविटी ही फैलाना यह उदेश्य मिडिया का हरगिज़ नहीं हो शकता.भारत देश बहोत ख़राब ही हे,यहाँ कुछ अच्छा होनेवाला ही नहीं ऐसी छवि बने,हमारा बौध्धिक धन विदेश चला जाये और मिडिया के कारण विदेशों में भी देश की छवि ख़राब हो यह कितना उचित हे ?बलात्कार हो या कौभांड या फिर अन्य अपराध यह सब घटनाएँ विदेशों में भी होती रहती हे किन्तुं विदेशी मिडिया बिना अतिशियोक्ति विवेकपूर्ण तरीके से उसको दिखाती हे.११ सितंबर को अमरीका में हुए आतंकी हमले की एक भी नकारात्मक तस्वीर वहां के मिडिया ने नहीं दिखाई.

भारत के रूशीतुल्य पूर्व राष्ट्रपति स्व..पी.जे.अब्दुल कलामने लिखा था की भारत का मिडिया इतना नेगेटिव कयूं हे ? भारत देश कई बातों में आगे हे फिर भी भारत का मिडिया ही हरबार भारत की नेगेटिव इमेज क्यूँ दिखाते रहता हे ? उन्होंने लिखा हे की एकबार में इजरायल के दौरे पर था.में तेल अविव पहोंचा उसके अगले ही दिन इजरायल में हमास द्वारा आतंकी हमला हुआ था.मैंने सुबह एक इजरायली अख़बार पढ़ा लेकिन उस अख़बार के प्रथम पन्ने पर एक यहूदी सद्गृहस्थ की तस्वीर के साथ समाचार थे जिसमे किस तरीके से उस सद्गृहस्थ ने वहां के रेगिस्तान को हरभरा कर दिया उसकी स्टोरी छपी हुई थी.ऐसे सकारात्मक उर्जा से भरपूर समाचार सुबह में पढने मिले.बौंम धमाके या हत्या इत्यादि के समाचार अन्दर के पेज पर बहुत छोटी सी जगह में छपा था.

समाज और खास करके युवाओं पर मिडिया का बहोत बड़ा प्रभाव होता हे.आज का युवान निराशावादी अराजकतावादी बने और युवाओं की शक्ति का दुरपयोग हो इस प्रकार की समज विकसित करने में मिडिया की भूमिका अहम् हे.जीवन जीने की सही दिशा मिले उस प्रकार के बहुत सारे पोजिटिव न्यूज़ देश और दुनिया में बनते ही रहेते हे.ऐसे प्रेरणादायी समाचार ज्यादा से ज्यादा प्रसारित हो यह जरुरी हे.

सरकार के साथ साथ देश के नागरिकों को भी अपनी जिम्मेवारी के प्रति जागृत करना अत्यंत आवश्यक हे.हमारे यहाँ किसी भी चीज के लिए सरकार को ही दोषित ठहराने एक फेशन सी हो गई हे.पहेले राष्ट्रपति या प्रधानमंत्री के निवेदन कार्यक्रमों की जानकारी अख़बारों में प्रथम पेज पर हेडलाइन बनते थे.किन्तुं धीरे धीरे यह जगा नेगेटिव न्यूज़ ने ले ली.इस नेगेटिविटी के कारण नागरिकों में भी उदासीनता निराशा फैलाव बढ़ जाता हे. हद तो तब हो गई की कई अख़बारों ने १९९३ के मुंबई बौम्ब धमाके में दोषित त्रासवादी याकूब मेमन को फांसी हुई तब उसके प्रति लोगों को सहानुभूति हो ऐसा हेडिंग बनाया था.कमनसीब से अभी भी मिडिया का एक वर्ग हिजबुल मुजाहिद्दीन के त्रासवादीओं के लिए वर्कर’ शब्द का प्रयोजन करते हे.

सामाजिक सोहार्द बनाये रखने में मदद करने की अपनी जिम्मेवारी से भी मिडिया मुं कर दे और सामाजिक एवंम सांप्रदायिक वैमनस्य बढे ऐसे समाचार मसाला डालकर प्रसारित करे तब एक सच्चे देशप्रेमी को पीड़ा होना स्वाभाविक हे.इसी तरह भारतीय संस्कृति की सही बात लोगों तक पहुंचे,युवाओं में राष्ट्रगौरव जागृत हो,उतम चारित्र्य का निर्माण हो,प्रमाणिकता,वफ़ादारी,सत्य,अहिंसा,परिवार प्रेम,भाईचारा इत्यादि जैसे मूल्यों का सिंचन हो उस प्रकार के लेख समाचार ज्यादा से ज्यादा प्रसिध्ध करने के बजाय जब कोई मिडिया विकृति से भरे समाचारों को ज्यादा महत्व देता हे तब बहोत दर्द होता हे.देश का मिडिया अगर देशहित और समाजहित को ज्यादा से ज्यादा प्राथमिकता देगा तभी हम मूल्यनिष्ठ समाजव्यवस्था के साथ समृध्ध सुसंस्कृत देश होने का गौरव सुरक्षित रख पाएंगे.

किसीभी हालात में देश के युवाओं में अपने देश के प्रति कभी भी नफरत पैदा हो,सभी देशवासी देशहित को अग्रता दे,ज्ञाति-जाती धर्म की सीमाओं से लोग बहार निकलके राष्ट्रप्रथम की भावना के साथ देश की उन्नति के लिए सोचे ऐसे वातावरण का निर्माण करने में मिडिया ज्यादा से ज्यादा सहयोग दे और सभी मीडियाकर्मी संपूर्ण सकारात्मकता के साथ राष्ट्र के पुनरुत्थान कार्य में सहयोग देकर अपना देशप्रेम लोगों के सामने व्यक्त करते रहे इसी प्रार्थना के साथ भारत माता की जयवंदेमातरम्.