બુધવાર, 28 મે, 2008

ઇન્શ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગઃફાયદો કે નુકશાન

ઇન્શ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગઃફાયદો કે નુકશાન
જે લોકોની ઇન્શ્યુરન્સ પોલીસી પ્રીમીયમ ન ભરવાને કારણે બંધ થઈ ગઈ છે(લેપ્સ પોલીસી)તેવાં લોકો ને આનંદીત કરી દે તેવો એક ચુકાદો થોડાં સમય પહેલાં મુંબઈ હાઈકોર્ટે જાહેર કર્યો છે.હાઈકોર્ટે તેનાં ચુકાદામાં ઈન્શ્યુરન્સ પોલીસીનાં ટ્રેડીંગ એટલે કે લેં-વહેંચ ની તરફેણમાં ચુકાદો આપતાં જણાંવ્યું છે કે ઈન્શ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગ કાયદેસર છે.ઈન્શ્યુરન્સનાં નીયમ પ્રમાણે બંધ થયેલી પોલીસીનાં પોલીસી હોલ્ડરને ઈન્શ્યુરન્સ કંપની સરેન્ડર વેલ્યુ(અમુક ચાર્જ કાપીને બાકીની રકમ)જેટલી રકમ પરત કરી દે છે અને પોલીસી ત્યાં પુરી થઈ જાય છે પરંતુ તે જ પોલીસી નાં ટ્રેડીંગ દ્વારા પોલીસી હોલ્ડર સરેન્ડર વેલ્યુ કરતાં વધારે રકમ મેળવી શકે છે.આમ,પોલીસી ટ્રેડીંગ એ ટુંકાગાળા માં પૈસા મેળવવાનું રોકાણનું એક નવું સાધન બની શકે છે.
પરંપરાગત રીતે જોઈએ તો ઈન્શ્યુરન્સ અને ઈન્વેસ્ટ્મેન્ટ એ બે જુદાં જુદાં હેતુઓ સિધ્ધ કરવા માટેનાં સાધનો છે.ઈન્સ્યુરન્સ એ બીજાં મુડી રોકાણનાં સાધનોની સરખામણીમાં રુપીયા સામે ઓછું વળતર આપે છે પરંતુ તેનો મુખ્ય ધ્યેય સલામતીનો છે.તેથી ઉલ્ટું ઈન્વેસ્ટ્મેન્ટ નો મુખ્ય ધ્યેય રોકાણ સામે વધુમાં વધુ વળતર મળે તેવો છે.યુનીટ લીંક ઈન્શ્યુરન્સ(માર્કેટ સાથે સંલગ્ન)પોલીસીઑની શરુઆત થતાં ઈન્સ્યુરન્સ હવે મુડી રોકાણનું અગત્યનું સાધન બની ગયું છે અને વધારે ને વધારે લોકો આવી પોલીસીઓ દ્વારાં રોકાણ અને સલામતી બંને મેળવે છે.આવું થતાં ઈન્સ્યુરન્સ પોલીસીઓ નાં ટ્રેડીંગને વધારે વેગ મળશે તેવું માનવામાં આવે છે.પરંતુ પોલીસીઑ નાં ટ્રેડીંગ વિશે આ ક્ષેત્ર નાં લોકોનાં મિશ્ર પ્રત્યાઘાતો આવેલ છે.અમુક લોકોનું એવું માનવું છે કે આવું થવાથી બીજાંની જીંદગી પર દાવ લગાવવાનું શરુ થઈ જશે.જ્યારે અમુક લોકો ઈન્સ્યુરન્સનાં ટ્રેડીંગ ને આવકારે છે.
પરંતુ રસપ્રદ વાત એ છે કે પોલીસી ટ્રેડીંગએ ભારતીય કાયદા પ્રમાણે પ્રતીબંધીત નથી.૨૦૦૩ માં એલઆઈસી ઍ નક્કી કર્યું કે પોલીસી હોલ્ડર એવી કોઈપણ વ્યક્તી કે સંસ્થાને તેની પોલીસી અસાઈન(બીજાં ને હક્ક આપી દેવો)નાં કરી શકે કે જેનો ઈન્સ્યુરેબલ ઈન્ટરેસ્ટ તેનાંમાં નાં હોય પરંતુ આઈ આર ડી એ(ઈન્સ્યુરન્સ રેગ્યુલટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી)એલ આઈ સી નાં આ નિર્ણય ને ગેરવ્યાજ્બી ઠરાવ્યો અને એલ આઈ સી એ ફરીથી પોલીસી હોલ્ડર ને તેની પોલીસી બેંક,નાણાંકીય સંસ્થા કે પરીવારનાં સભ્યો ઉપરાંત મીત્રો નાં નામે અસાઈન કરવા માટે સહમતી આપી અને પ્રાઈવેટ ઈન્સ્યુરન્સ કંપનીઓએ પણ આ સિલસિલો ચાલું રાખ્યો છે પરંતુ આજસુધી ભારતમાં પોલીસી નું ટ્રેડીંગ બહુ પ્રચલીત નથી.
મુંબઈની ઈન્સ્યુરન્સ પોલીસી નાં ટ્રેડીંગ ક્ષેત્રે કામ કરતી કંપની ઈન્સ્યુરન્સ પોલીસીપ્લસ સર્વીસીસ નામની કંપનીએ એલ આઈ સી વિરુદ્ધ કોર્ટ માં કેસ દાખલ કર્યો ત્યારે ભારતમાં ફરીથી પોલીસી ટ્રેડીંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો.એલ આઈ સી એ આ કંપનીને પોલીસી ટ્રેડીંગ એ ભારતનાં સામાજીક વાતાવરણને પ્રતીકુળ છે તેવું કારણ આપીને પોલીસીનાં અસાઈનમેન્ટ રજીસ્ટર કરવાની નાં પાડી દીધી(પોલીસી અસાઈન કરવા માટે તેનું જે તે ઈન્સ્યુરન્સ કંપની પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.)અને આગળ જણાંવ્યું કે આઈ પી પી એસ આ પોલીસીઓ માં કોઈપણ પ્રકારનો ઈન્સ્યુરેબલ ઈન્ટરેસ્ટ ધરાવતી નથી અને તે ફ્ક્ત પોલીસીઓનું ટ્રેડીંગ કરી તેમાંથી ફક્ત પૈસા કમાવવાનાં હેતુથી જ કામ કરે છે.વધારે દલીલ કરતા એલ આઈ સી એ જણાવ્યું હતું કે જ્યારે પોલીસી હોલ્ડર તેની પોલીસી વહેંચે છે ઍટ્લે કે અસાઈન કરે છે ત્યારે તે પોલીસીનાં તમામ હક્કો પોલીસી ખરીદનારને ટ્રાન્સ્ફર થઈ જાય છે તેથીજ પોલીસીનાં મળવાપાત્ર બધાં લાભ પોલીસી ખરીદનારને મળે છે.પોલીસીની મુદત પુરી થતાં પાકતી મુદતે મળતી રકમ પણ પોલીસી ખરીદનારને મળે છે અથવાતો પોલીસી જેની પાસ થી ખરીદેલી છે તેનું એટ્લે કે જેનાં જીવનનો વિમો ઉતારેલ છે તેનું મ્રુત્યું થઈ જાય તો પણ તે મ્રુત્યુનાં દાવાની રકમ પોલીસી હોલ્ડરને બદલે પોલીસી ખરીદનારને મળે છે અને,આમ થવાથી વિમાનાં સિધ્ધાંત 'ઈન્સ્યુરેબલ ઈન્ટરેસ્ટ'નો ભંગ થાય છે.
અંતે આ કેસમાં ઈન્સ્યુરન્સ પોલીસીપ્લ્સ સર્વીસીસ નો વીજય થાય છે અને મુંબઈ હાઈકોર્ટે ઈન્સ્યુરન્સ પોલીસીનાં મુક્ત વ્યાપાર ની તરફેણમાં ચુકાદો આપતાં જણાંવ્યું હતું કે "કાયદાકીય રીતે આ પ્રતીબંધીત નથી અને વિશ્વનાં બીજાં વિક્સીત દેશો અમેરીકા અને યુ.કે.જેવા દેશો માં તો ઈન્સ્યુરન્સ પોલીસી પરનું ટ્રેડીંગ ખુબજ પ્રચલિત છે.ઈન્સ્યુરન્સ એક્ટ ૧૯૩૮ મુજબ ઈન્સ્યુરન્સ પોલીસી એ તબદીલ થઈ શકે તેવી મિલ્કત છે અને પોલીસી હોલ્ડર તે મિલ્કતનો સંપુર્ણ માલીક છે અને માલિક હોવાનાં નાતે તે પોલીસીનાં તમામ હક્કો તેનાં છે.તે તેનાં પરીવારનાં ઉચીત ફાયદા માટે તે મિલ્કત(પોલીસી)નો ગમે તે રીતે ઉપયોગ કરી શકે છે"
પોલીસી હોલ્ડર,એજન્ટ અને પોલીસી ખરીદનાર બધાંને ફાયદોઃ જ્યારે પોલીસી હોલ્ડર પ્રીમીયમ ભરવા માટે સક્ષમ નથી હોતો ત્યારે તેની પાસે બે વિકલ્પો બચે છે.ઍક તો વિમા કંપની દ્વારા તે પોલીસીની જે સરેન્ડર વેલ્યુ આપવામાં આવે તે સ્વીકારી લેવી ને પોલીસી ત્યાં સમાપ્ત કરવી અથવા તો પોલીસી માં જે રકમ બચી હોય તેમાંથી પ્રીમીયમ તરીકે પૈસા ક્પાય,વિમો ચલુ રહે અને પછી પોલીસી બંધ થઈ જાય છે.અને તેમાં પણ જો પોલીસી ને ત્રણ વર્ષ પુરાં ન થયાં હોય તો તેને સરેન્ડર વેલ્યુ પણ મળવા પાત્ર નથી.આવાં કીસ્સામાં પોલીસી હોલ્ડરે તેણે ભરેલાં પ્રીમીયમની રકમ પણ ભુલી જવી પડે છે.પરંતુ મુંબઈ હાઈકોર્ટ નાં ચુકાદાએ આવા પોલીસી ધારકોને રાહતનો શ્વાસ આપ્યો છે.ઈન્સ્યુરન્સ પોલીસી નાં ટ્રેડીંગથી પોલીસી હોલ્ડરને ફાયદો થાય છે કારણકે તેને સરેન્ડર વેલ્યુ કરતાં વધારે રુપીયા મળે છે જ્યારે પોલીસી ખરીદનાર પણ ખુશ થાય છે કેમ કે તેને ટુંકાગાળામાં વધારે વળતર મળવાની આશા છે અને એજન્ટ પણ ખુશ રહે છે કેમેકે પોલીસી ચાલુ રહેવાથી તેને રીન્યુઅલ કમીશન મળતું રહે છે.આમ, ઈન્સ્યુરન્સ પોલીસીનું ટ્રેડીંગ એ પોલીસી હોલ્ડર,એજન્ટ અને પોલીસી ખરીદનાર એમ બધાં માટે ફાયદારુપ છે.