રવિવાર, 29 માર્ચ, 2020

૧૯૪૭માં રચાયેલી ભારતની પ્રથમ સરકાર વિષે જાણો.

આપણો દેશ ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદ થયો.આઝાદી બાદ ભારતમાં વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું.આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રીને તો સૌ કોઈ જાણે છે.પરંતુ પ્રથમ મંત્રીમંડળમાં કોણ કોણ હતું ? આ સરકાર કેટલો સમય ચાલી ? વચગાળાની સરકાર શા માટે બનાવી ? વગેરે બાબતો જાણવા ઈચ્છતા હો તો આખો લેખ વાંચવો રહ્યો.

અંગ્રેજોએ ભારત છોડતાં પહેલા જ ૧૯૪૬માં બહુ ઓછા અધિકારીઓ સાથેની એક સરકારનું ગઠન કરી દીધું હતું.અંગ્રેજોના ગયા પછી જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં ભારતની વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું હતું.આ સરકારે ભારતનો પાયો મજબુત બનાવવાનું કામ કરવાનું હતું. એકરીતે આ સરકાર બધી પાર્ટીઓની સરકાર હતી.આ સરકારની કેબિનેટમાં કોંગ્રેસ પક્ષ સિવાયનાં પણ અન્ય પક્ષોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


પ્રથમ કેબીનેટ:
૦૧, જવાહરલાલ નેહરુ – પ્રધાનમંત્રી
૦૨, સરદાર વલ્લભભાઈ પટેલ – ગૃહ તેમજ સુચના પ્રસારણ મંત્રી
૦૩, અબ્દુલ કલામ આઝાદ – શિક્ષણમંત્રી
૦૪, ડો.રાજેન્દ્ર પ્રસાદ – કૃષિમંત્રી
૦૫, સરદાર બલદેવસિંહ – રક્ષામંત્રી
૦૬, જોન મથાઈ – રેલમંત્રી
૦૭, આર.કે.શણમુખમ – નાણામંત્રી
૦૮, ડો.બી.આર.આંબેડકર – કાયદામંત્રી
૦૯, જગજીવન રામ – શ્રમમંત્રી
૧૦, સી.એચ.ભાભા – વાણીજ્યમંત્રી
૧૧, રાજકુમારી અમૃત કૌર – આરોગ્યમંત્રી
૧૨, રફી અહમદ કીડવાઈ – સંચારમંત્રી
૧૩, ડો.શ્યામાપ્રસાદ મુખરજી – ઉદ્યોગમંત્રી
૧૪, વી.એન.ગાડગીલ – ઉર્જા અને ખાણમંત્રી


પ્રથમ સરકારના મુખ્ય કાર્યો :

દેશ આઝાદ થયો ત્યારે દેશ સામે અનેક પડકારો હતા.અંગ્રેજો માનતા હતા કે આધુનિક લોકતંત્રને અપનાવી શકે તેટલી યોગ્યતા ભારતના લોકો ધરાવતા નથી અને થોડાં સમયમાં જ બધું ભાંગી પડશે.પરંતુ એમ ના થયું.પ્રથમ સરકારે જે મુખ્ય કાર્યો કર્યા તે આ પ્રમાણે છે.

૦૧, દેશનાં એકીકરણ વખતે દેશના ૫૬૫ રજવાડાંઓને એક કરવાનું કામ બહુ જટિલ અને પડકારરૂપ હતું.ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ મોટાભાગના રજવાડાંઓને સમજાવવામાં સફળ રહ્યાં. પરંતુ હૈદરાબાદ અને જુનાગઢનો પ્રશ્ન જટિલ હતો.અંતે સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને બહાદુરીને લીધે આ બંને રાજ્યો પણ ભારતમાં સામેલ થઇ ગયા.
૦૨, આઝાદી વખતે દેશનું વિભાજન થઇ ચુક્યું હતું.દેશમાં બહુ મોટી સંખ્યામાં પાકિસ્તાનથી લોકો ભારત આવી રહ્યા હતા. તેઓના વસવાટ માટેનું કાર્ય કરવામાં આવ્યું.ઘણાં શહેરોને વસાવવામાં આવ્યા.
૦૩, દેશનું સંવિધાન બનાવવાનું કાર્ય ઝડપભેર આગળ વધારવામાં આવ્યું.
૦૪, દેશભરમાં ચાલી રહેલા કોમી તોફાનોને શાંત પાડવાનું કાર્ય કરવામાં આવ્યું.
૦૫, દેશમાં ચાલી રહેલા ઉદ્યોગ-ધંધાઓનો સર્વે કરાવવામાં આવ્યો.
૦૬, લોકશાહી પ્રત્યે લોકોની શ્રધ્ધા વધે તે માટે જનજાગરણ અભિયાન ચલાવવામાં આવ્યું.
૦૭, ૧૯૫૨માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજવા માટેનું વાતાવરણ બનવવામાં આવ્યું.

પ્રથમ સરકારના ખોટાં નિર્ણયો :

દેશની પ્રથમ સરકારે અમુક સારાં નિર્ણયો લીધા તો ઘણાં ખોટા નિર્ણયો પણ લેવાયા. જેની રાષ્ટ્રીયકક્ષાએ અનેક વખત આલોચના પણ થઇ છે અને જેનાં દુષ્પરિણામ દેશે વર્ષો સુધી ભોગવ્યા છે.

૦૧, ભારતની કાશ્મીર નીતિ – કાશ્મીરના એકીકરણની જવાબદારી વડાપ્રધાન નેહરુએ પોતે સંભાળી હતી પરંતુ શેખ અબ્દુલ્લા પરિવાર પ્રત્યેના પોતાના પ્રેમ-લાગણી અને મતબેંકના રાજકારણને કારણે કાશ્મીરનીતિમાં જાણી જોઇને અનેક ગંભીર ભૂલો કરવામાં આવી હતી.કાશ્મીર સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવી,કાશ્મીર માટે અલગ કાયદો વગેરે જેવી તેમની ભૂલોને હમણાં સુધી દેશ ભોગવતો રહ્યો.

૦૨,વિદેશનીતિ બાબતે પણ પ્રથમ સરકારની આલોચના આજ સુધી થતી રહી છે.

૦૩,અંગ્રેજોના ગયા પછી પણ અંગ્રેજી કાર્યપ્રણાલી જાળવી રાખવાની બાબતની પણ આલોચના થતી રહી છે.

૦૪,મતબેંક તથા તુષ્ટિકરણની રાજનીતિને લીધે શરૂઆતથી જ બહુમતી હિંદુ સમાજના હિતોની અવગણના.

પ્રથમ સરકાર અને વિવાદો :

પ્રથમ સરકારના ગઠનનું જટિલ કાર્ય ગાંધીજીની દેખરેખ નીચે થયું હતું.જેમાં બધાં પ્રકારના,બધાં વર્ગના લોકોને સ્થાન આપવાનો પ્રયત્ન થયો હતો.આ સરકારમાં વિદેશી જ્ઞાનથી પરિપૂર્ણ નેહરુજી હતા તો વહીવટી કુશળ અને પ્રખર દેશહિત ચિંતક સરદાર પટેલ પણ હતા.કાયદા સાથે અર્થનીતિના પણ નિષ્ણાંત એવાં ડો.આંબેડકર હતા તો વિચક્ષણ બુદ્ધિક્ષમતા ધરાવતાં પ્રખર રાષ્ટ્રવાદી શિક્ષણવિદ ડો.શ્યામાપ્રસાદ મુખરજી જેવા નેતા પણ મંત્રીમંડળમાં સામેલ હતા.તેમ છતાં પ્રથમ સરકારમાં શરૂઆતથી જ અનેક પ્રકારનાં વિવાદોએ પણ જન્મ લીધો હતો.

૦૧,શરૂઆતથી જ અનેક નીતિવિષયક બાબતોમાં નેહરુ અને સરદાર પટેલ વચ્ચે મતભેદો થયાં.અનેક વખત બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.ગાંધીજીની મધ્યસ્થી દ્વારા સરખું કરવાના પ્રયાસો થતાં.

૦૨,નેહરુ સરકારની કાશ્મીર અંગેની નીતિઓ તેમજ તુષ્ટિકરણની રાજનીતિ સામે સવાલ ઉઠાવી દેશહિત માટે ડો.શ્યામાપ્રસાદ મુખરજીએ મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.ત્યારબાદ કાશ્મીરની પરમીટપ્રથાના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું રહસ્મય સંજોગોમાં મૃત્યુ થયું હતું.

૦૩,બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરે પણ અનેક મુદ્દાઓ પર નેહરુ સરકારની બેધારી નીતિઓનો વિરોધ કર્યો હતો.

આમ,અનેક વિવાદો વચ્ચે ભારતની વચગાળાની સરકારનો કાર્યકાળ પૂરો થયો અને ૧૯૫૨માં સામાન્ય ચૂંટણીઓનું આયોજન થયું.

ટિપ્પણીઓ નથી: