સોમવાર, 27 સપ્ટેમ્બર, 2010

શેરબજાર લાલઘુમ ,તેજીની મોસમ,રોકાણકારોએ શું કરવું?તેજી FII પ્રેરીત

આજકાલ દરેક વસ્તુ માં તેજીની મોસમ ચાલી રહી છે.સોનાં-ચાંદીમાં તેજી,કપાસમાં તેજી,ડુંગળીમાં તેજી,જમીનમાં તેજી,વ્યાજનાં દરમાં તેજી અને શેરબજારમાં પણ તેજી.

આપણે અહીંયા શેરબજારની તેજીની વાત કરવી છે.ભારતનું શેરબજાર ૨૦૧૦ ની શરુઆતથી જ ધીમી પણ મક્કમ ગતી એ આગળ વધી રહ્યું છે.૧ એપ્રીલ ૨૦૧૦ નાં રોજ સેન્સેક્સ ૧૭૫૫૫ નાં આંક પર હતો ત્યાંથી તે સપ્ટેમ્બર ૨૨ નાં રોજ ૨૦,૦૦૦ નો આંક કુદાવી ગયો.આમ,તો આપણાં સૌ માટે આ ખુશીની જ વાત છે પરંતુ આપણી મનોદશા પણ જબરી છે.શેરબજારમાં મંદી હોય તોય મુંઝવણ અને તેજી હોય તોયે મુંઝવણ.સેન્સેક્સ ૨૦,૦૦૦ વટાવી ગયો હવે શું કરવું?નવું રોકાણ કરવું કે નાં કરવું?શેરમાં નફો બુક કરવો કે નાં કરવો?વગેરે વગેરે જેવાં પ્રશ્નો થી તેજીમાં પણ આપણે મુંઝાયા કરીએ છીએ.તો હવે સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં રોકાણકારોએ શું કરવું?સૌ પ્રથમ તો એ સમજીએ કે હાલની આ જે તેજી છે તે FII પ્રેરીત તેજી છે અને નવાં આવનારાં પબ્લીક ઈશ્યુ સારી રીતે છલકાઈ જાય તેવું વાતાવરણ બનાવવાં માટેની ગોઠવણ થઈ રહી છે.આવતાં દિવસોમાં ભારતનાં શેરબજારમાં ૩૦,૦૦૦ કરોડનાં પબ્લીક ઈશ્યુ આવી રહ્યાં છે.વળી,રસપ્રદ બાબત એ છે કે ૨૦૧૦-૧૧ માં પબ્લીક ઈશ્યુ લાવનારી કંપનીઓ માં મોટાભાગની કંપનીઓ પીઈ ફંડૅડ કંપનીઓ છે.એટલે કે ફોરેનનાં જુદાં જુદાં ફંડ દ્વારાં પ્રાઈવેટ ઈક્વીટી ફંડીગ થયેલું છે.આ પીઈ ફંડીગ કંપનીઓએ ખુબ ઓછી કિંમતમાં અનલીસ્ટૅડ કંપનીઓનાં શેર ખરીદી તેમાં શેર હોલ્ડીંગ મેળવેલું હોય છે.તેનો બે થી ચાર વર્ષનો એક્ઝીટ પીરીયડ હોય છે.આવી અનલીસ્ટૅડ કંપનીઓ તેનો પબ્લીક ઈશ્યુ બહાર પાડી,તેનાં શેરનું ઉંચા પ્રીમીયમથી લીસ્ટીંગ કરાવશે અને પીઈ ફંડીંગ કંપનીઓ તેનાં હિસ્સાનાં શેરમાં ખુબ ઉંચુ પ્રીમીયમ મેળવી તગડો નફો ઘર ભેગો કરશે.મોટાંભાગની આવી પીઈ ફંડીગ કંપનીઓ ફોરેનની છે અથવા તો FII પ્રેરીત છે.છેલ્લાં એક મહીનામાં ભારતનાં શેરબજારમાં FII એ ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને શેરબજારને તેજીની દિશા આપી છે.
  
તો આવાં વાતાવરણમાં રોકાણકારોએ શું કરવુ?
તેનાં માટેનાં થોડાં સુચનો છે.
,તમારાં જુનાં રોકાણોમાં નફો બુક કરી લેવો.


,નવાં રોકાણોમાં કુલ રકમમાંથી ૫૦% રકમ શેરબજારમાં અને ૫૦% રકમ બેંક FD,PPF,બોન્ડ વગેરે સલામત સાધનોમાં રોકવી જોઈએ.


૩,નવૂ રોકાણ જો ટૂંકાગાળા માટે કરવામાં આવતું હોય એટ્લે કે ૨ થી ૩ વર્ષ માટે,તો તેવું નવું રોકાણ શેરબજારમાં કરવું હીતાવહ નથી.


,ટુંકાગાળાનું રોકાણ સલામત રોકાણ સાધનોમાં જ કરવું જોઈએ.


,નવું રોકાણ જો લાંબાગાળા માટેનું હોય એટ્લે કે ૫ થી ૭ વર્ષ માટે તો શેરબજારમાં રોકાણ કરી શકાય.લાંબાગાળે ૨૫ થી     ૩૦ ટકા વળતર મેળવી શકાય.


૬,મ્યુચલ ફંડ કે યુલીપ પોલીસીનાં ઈક્વીટી ફંડમાં તમે કરેલાં રોકાણોમાં હાલનાં તબક્કે નફો બુક કરવો અને તેને ડૅટ ફંડમાં સ્વીચ કરી લેવું જોઈએ.

ટિપ્પણીઓ નથી: