રવિવાર, 20 જુલાઈ, 2008

વૈકલ્પિક ઉર્જાનું ઉજળું ભવિષ્ય


વૈકલ્પિક ઉર્જાનું ઉજળું ભવિષ્ય
વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલની કિંમતો મોટે પાયે વધી રહી છે તેવા સમયે મુડીદાર ઉદ્યોગ સાહસીકો તેમના પરંપરાગત ઉદ્યોગોમાંથી કમાયેલી મુડીનો વધારાનો હીસ્સો વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માં રોકવા લાગ્યા છે.આ ક્ષેત્રની ઘણીબધી કંપનીઓ આધુનીક ટેકનોલોજી,સોફ્ટવેર,લેટેસ્ટ કમ્યુનીકેશન સીસ્ટમ વગેરેનાં ઊપયોગ દ્વારા ખુબજ ઝડ્પથી પ્રગતી કરી રહી છે અને તેથીજ આ કંપનીઓ રોકણકારોને આકર્ષવામાં સફળ રહી છે.નેશનલ વેન્ચર કેપીટ અશોશીયેશન તથા પ્રાઇસ વોટર હાઉસ કુપર્સના તજેતરના સર્વે મુજબ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કાર્યરત કંપનીઓ નું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ છે.વિશ્વનાં મુડીદાર ઉદ્યોગ સાહસિકોએ વર્ષ ૨૦૦૬ નાં પ્રથમ છ માસ ના ગાળા દરમિયાન સુર્ય,પવન તથા જીઓ થર્મલ ઉર્જા ક્ષેત્રે ૧૪૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.અમેરિકાની ઉર્જા નીતિ માં પણ ભવિષ્યની ઉર્જા જરુરીયાતો માટે વૈકલ્પિક ઉર્જા ના વધુ ને વધુ ઉત્પાદન પર ભાર મુકયો છે.વિશ્વની જાણીતી કંપની જીઇનું પવન ઉર્જા ક્ષેત્રે વૈશ્વિક વેચાણ ૨ બિલિયન ડોલર અને સોલાર પેનલનું વેચાણ ૧૧ બિલિયન ડોલરને આંબ્યુ છે જે વર્ષ ૨૦૦૫ દરમિયાન ૭ બિલિયન ડોલર જેટલું હતું.સુર્યશક્તિ,પવનશક્તિ,જળશક્તિ,અણુંશક્તિ, બાયોફ્યુઅલ,બાયોગેસ વગેરેને વૈક્લ્પિક ઉર્જાનાં મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે.વિશ્વનો મુડીદાર અને બુધ્ધિજીવી વર્ગ આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. માઇક્રોસોફ્ટનાં વડા બિલ ગેટ્સ તથા બ્રિટિશ એરલાઇન્સના વડા રિચાર્ડ બ્રેનસને પણ બાયોફ્યુઅલના સશોધન તથા ઉત્પાદનમાં રસ દાખવ્યો છે.અગ્રણી કાર ઉત્પાદકો ટોયોટા અને જનરલ મોટર્સે પણ બાયોફ્યુઅલનાં સંશોધન અને વપરાશ માટે ઉત્સુક્તા બતાવી છે.હાલ માં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઓઇલથી ચાલતા ઇન્ટરનલ કમ્બશન (આઇસી)એન્જીન પર આધારીત છે તેથી વૈશ્વિક ધોરણે ઓઇલની કીંમતોમાં થતો વધારો ઓટોમોબાઇલ ક્ષેત્રનાં વિકાસમાં અવરોધ રુપ બની રહે તેવો ભય છે.આ પરિસ્થિતિ નો સામનો કરવા માટે વિશ્વનાં કાર ઉત્પાદકો બાયોફ્યુઅલ તથા એલએનજી(લિક્વીફાઇડ નેચરલ ગેસ)નાં વપરાશને વધારવાની તરફેણ કરે છે અને તેને અનુરુપ એન્જીન વિક્સાવી રહ્યા છે.સોફ્ટ્વેર ક્ષેત્રે વિશ્વમાં પ્રખ્યાત સિલિકોન વેલિમાં પણ નેનો ટેકનોલોજીનાં ઉપયોગથી સોલાર પેનલ/સેલ વગેરે બનાવવા માટેનાં સંશોધનો ચાલી રહ્યા છે.સિલિકોન વેલીમાં નેનો ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી કંપની નેનોસિસે છત પર લગાવવા માટે સ્પ્રે કોટીંગ નું સંશોધન કર્યું છે જેનાં દ્વારાં સુર્યશક્તિનો સંગ્રહ થઈ શકે છે અને વીજળી નાં બદલાંમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધી પામતાં બે અર્થતંત્રો ભારત અને ચીને પણ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રેનાં વિકાસ માટે જોરશોરથી પ્રયાસો શરુ કરી દીધા છે તેમ જ વિશ્વનાં મુડીદાર ઉદ્યોગા સાહસિકોને આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આકર્ષી શક્યા છે.ચીને તાજેતરમાં જ ગુઆંગ ડોગ ક્ષેત્રમાં ૧૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પવન ઉર્જા આધારીત બે મેગા પ્રોજેક્ટ માટે પચાસ વર્ષ સુધીનાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યાં છે.ભારતમાં પણ વિદેશી રોકાણકારો પવન ઉર્જા ક્ષેત્રે ખુબજ મોટા રોકાણો કરી રહ્યાં છે.બેસેમર વેન્ચર નામની વિદેશી રોકાણકાર સંસ્થાએ ભારતની પવન ચક્કી બનાવતી કંપની શ્રીરામ ઇપીસી માં રુ.૧૦૦ કરોડનું રોકાણ કર્યું છે.આવી જ રીતે આ ક્ષેત્રની ભારતીય મલ્ટીનેશનલ કંપની સુઝલોનમાં પણ વિદેશી રોકાણકાર સંસ્થા ક્રીસ કેપીટલે રુ.૧૦૦ કરોડ્નું મુડીરોકાણ કર્યું છે.એન આર આઇ બિઝનેશમેન શિવ શંકરને પણ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે રુ.૬૦૦ કરોડનાં મુડીરોકાણની જાહેરાત કરી છે.ભારત માટે વીજળી એ સૌથી અગત્યનું ઇન્ફ્રાસ્ટ્ર્કચર છે અને પુરતી વીજળી વગર ભારતનો ઔદ્યોગીક વિકાસ શક્ય જ નથી.
તાજેતરમાં જ એક સમારોહમાં ભારતનાં વડા પ્રધાન મનમોહનસિંહે જણાંવ્યું હતું કે 'ભારતે તેની કુલ વીજ ક્ષમતા કે જે હાલમાં ૧.૨ લાખ મેગાવોટ છે તેને આગામી પચીસ વર્ષનાં ગાળામાં વધારીને ૮ લાખ મેગાવોટ સુધી લઈ જવી પડ્શે.તેમજ વીજ ઉત્પાદનમાં વધારો કરવા વૈકલ્પિક ઉર્જા જેમકે જળ,પવન,સુર્ય તથા અણુશક્તિનાં ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરવું જરુરી થઈ પડ્યું છે'.આ પરથી સમજી શકાય કે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે કારોબાર કરતી કંપનીઓ માટે આવતું ભવિષ્ય ખુબજ ઉજળું છે.ભારત સરકાર પેટ્રોલ માં ઇથેનોલનાં મિશ્રણનું પ્રમાણ ૫ ટ્કાથી વધારીને ૧૦૦ ટ્કા કરવાનું વિચારી રહી છે.બાયોફ્યુઅલનું વ્યાપારીક ધોરણે ઉત્પાદન થઈ શકે તે માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર જેટ્રોફાનાં જંગી વાવેતર માટે પ્રયાસો કરી રહી છે.આંધ્ર પ્રદેશમાં એક ખાનગી કંપનીએ બાયોફ્યુઅલ રીફાઇનરી ક્ષેત્રે ઝંપલાવ્યું છે.આ કંપની હજારો હેક્ટર જમીનમાં જેટ્રોફાનું વાવેતર કરાવી તેમાંથી ડીઝલ બનાવશે.રિલયન્સ ઇન્ડસ્ટ્રિઝે પણ જામનગર માં મોટાપાયે જેટ્રોફાનું વાવેતર કર્યાનું જાણવા મળે છે.
ગુજરાત સરકારે પવન ઉર્જાનાં વિકાસ માટે તાજેતરમાં જ એક આવકારવાદાયક પગલું ભર્યું છે.ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમીશને તાજેતરમાં જ એક આદેશ બહાર પાડીને વિન્ડ એનર્જી પાવર પ્રોજેક્ટ પાસે થી વિજળીને ખરીદ કરવા માટેનાં નવા દરની જાહેરાત કરી છે.અગાઉનાં યુનીટ દીઠ રુ ૨.૬૦ પૈસાને બદલે નવો દર યુનીટ દીઠ રુ ૩.૩૭ પૈસાનો નક્કી કરવામાં આવ્યો છે.જેનાંથી ગુજરાત માં પવન ઉર્જા ઉત્પાદનની પ્રવૃતીને વેગ મળશે.મહારાષ્ટ્ર સરકારે પણ વૈકલ્પિક ઉર્જાનાં ઉત્પાદનને વેગ મળે તે હેતુથી એક ફંડની રચના કરી છે.ભારત સરકારે આ ક્ષેત્રે કાર્યરત એકમો માટે સબસીડી તેમજ ધીરાણ સહાયની યોજના જાહેર કરી છે.
આમ ઉપરનાં મુદ્દાઓ જોતાં એક વાત સ્પષ્ટ છે કે ભારત પણ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે વિકાસ સાધવાનાં પ્રયનો માં વિશ્વનાં અન્ય દેશો કરતાં પાછળ નથી.આમ પણ,ભારત માં પેટ્રોલ-ડિઝલનાં ભાવ જે પ્રમાણે વધી રહ્યાં છે તથા વિજળીની ખાધ જે પ્રમાણે વર્તાઇ રહી છે તે જોતાં વૈકલ્પિક ઉર્જાનાં વધુ ને વધુ ઉત્પાદન તથા વપરાશ સિવાય બિજો કોઇ વિકલ્પ દુર સુધી દેખાતો નથી.

ટિપ્પણીઓ નથી: