ગુરુવાર, 9 ડિસેમ્બર, 2010

ભ્રષ્ટાચાર નો ભોરીંગ ભારતનો ભરડો લઈ રહ્યો છે.



દેશપ્રેમ જાગે તો ભ્રષ્ટાચાર ભાગે : 'ઈન્ડિયા ફર્સ્ટ'
'ભ્રષ્ટાચાર અને ભારત' આ બંને શબ્દ જાણે એક્બીજાનાં પર્યાય બની ગયા હોય તેવું લાગે છે.ભારતનાં રાજકારણીઓમાં જાણે વધુ ને વધુ મોટાં કૌભાંડો રચવાની રીતસરની હરીફાઈ જામી હોય તેમ રોજે રોજ વધુ મોટાં ને મોટાં કૌભાંડો બહાર આવતાં જાય છે.ભારતમાં ભ્રષ્ટાચાર એ ફક્ત રાજકારણીઓ પુરતો જ સીમિત નથી પરંતુ ભ્રષ્ટાચાર વાસ્તવમાં ભારતનાં ઘરે ઘરમાં ઘુસી ગયો છે.
પટ્ટાવાળો,ક્લાર્ક,તલાટીમંત્રી,મામલતદાર,પોલીસ,કલેક્ટર,ન્યાયમુર્તી,વકીલ,શીક્ષક,નેતાઓ,
ઈન્કમટેક્ષ - સેલ્સટેક્ષ અધીકારીઓ,બેંક સ્ટાફ વગેરે વગેરે આ લીસ્ટ બહુ લાંબુ થાય તેવું છે.ભ્રષ્ટાચારીઓની યાદીમાં કોઈ બાકાત નથી.પટ્ટાવાળા થી લઈ ને પ્રાઈમ મીનીસ્ટર સુધીનાં તમામ ભ્રષ્ટાચારી છે.ફરક ફક્ત એટલો જ છે કે ચોરી કરવી ગુનો નથી પણ પકડાવું એ ગુનો છે.એક સમય એવો હતો કે લાંચ લેવી - કટકી કરવી એ બહુ હિન ક્રુત્ય ગણાતું હતું.
લાંચીયા અધીકારીઑનો પરીવાર પણ તેનાં પર થુંકતો હતો.તેને બદલે આજે લાંચ લેવી અને લાંચ આપવી એ જાણે શિષ્ટાચાર બની ગયો હોય તેવો મહોલ સર્જાયો છે.લાંચીયા અધીકારીઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરી દેશ અને દેશની પ્રજાને સરેઆમ લુંટે છે અને રુપીયાની ચકાચૌંદ રોશની માં અંજાઈ ને આપણો સમાજ આવાં લોકોની કદમપોશી અને વાહ વાહ કરે છે.જ્યારે નખ-શિખ પવિત્ર,સિધ્ધાંતવાદી - દેશપ્રેમી એવાં (ગણ્યાં ગાંઠ્યાં)અધીકારીઓ અને નેતાઓ નો કોઈ ભાવ પુછતું નથી.સ્વતંત્ર ભારતની આ તે કેવી કરુણતા???
આપણાં દેશને આપણે 'માં' નો દરજ્જો આપ્યો છે અને આ ભારતમાતાનું જ્યારે ચિરહરણ થતું હોય ત્યારે આપણે નિર્માલ્ય થઈ તમાશો જોતાં રહીયે આ તે કેવો દેશપ્રેમ????આપણો દેશપ્રેમ ફક્ત ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગષ્ટ પુરતો જ સીમિત થઈ ગયો છે.દેશપ્રેમ ની મોટી મોટી દંભી વાતો કરવામાં અને દેશપ્રેમ નાં ભાષણો કરવામાં આપણે હોંશીયાર છીએ.હકીકતમાં આપણે દેશપ્રેમી નહીં પરંતુ ખીસ્સા પ્રેમી નાગરીકો છીએ.આપણૂં ખીસ્સુ ભરાતું હોય તો આપણે દેશને વેંચવા માટે હરપળ તૈયાર છીએ.આઝાદીનાં સાંઈઠ - સાંઈઠ વર્ષો પછી પણ ભારતની ૩૮ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવન ગુજારતી હોય અને ગરીબ હજુ વધારે ગરીબ અને ધનવાન વધુ ધનવાન થતો હોય આ પરિશ્થિતીનાં નીર્માણમાં પણ આપણાં ભ્રષ્ટાચારી નેતાઓ જ જવાબદાર છે કે જેઓ ને દેશનાં વિકાસમાં નહીં પણ ફક્ત સ્વવિકાસમાં જ રસ છે.હકીકત માં આપણે ચીન,જાપાન,જર્મની,ઈઝરાયેલ, વગેરે જેવાં દેશોનાં સામાન્ય નાગરીકો પાસેથી દેશપ્રેમનું શીક્ષણ લેવાની જરુર છે.
ભારતનાં તમામ નાગરીકો એ આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે.જો આ ભ્રષ્ટાચાર ની નદીઓ આમ ને આમ વહેતી રહેશે તો એક દિવસ આપણે ફરીથી ગુલામીની બેડીઓ માં જકડાઈ જશું અને ભ્રષ્ટાચારી શાસકો - નેતાઓ - અમલદારો - આ દેશનાં ભાગલાં પાડી દેશ ને ફરી પતનનાં માર્ગે લઈ જશે અને ગરીબ વધુ ને વધુ ગરીબ બનતો જશે અને અંતે ભારતમાં ફરીથી ગુલામી પ્રથા અમલમાં આવશે.દોસ્તો સમય આવી ગયો છે દેશપ્રેમ જગાવવાનો અને ભારતભરમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝંઝાવાતી અભીયાન ચલાવવાનો.સ્વાતંત્ર્ય સેનાનીઓ એ પોતાનાં પ્રાણો ની આહુતી આપીને આપણને અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ અપાવી અને હવે જો આપણે સાચા અર્થમાં સમ્રુધ્ધ,સામર્થ્યવાન,ચારિત્ર્યવાન,સ્વર્ણિમ ભારતનું નિર્માણ કરવું હોય તો ભ્રષ્ટાચારીઓ ને દેશવટો આપવો જ પડશે..જયહિંદ જય ભારત. 

2 ટિપ્પણીઓ:

અજ્ઞાત કહ્યું...

very nice !!!!!

Dr.Vasudev Patel કહ્યું...

Truth and reality of today's India. Only Government can not control this vicious corruption cycle. We all need to be a part of this movement.Start by your self with doing the right thing and ask for to do the right thing.