![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg242wilNHTtmO8sVjs9GwH68xHf4ZFQBXQKEccCVLy0XFu0zLHhlwhbkUIi9idUQCeYdL8_r92SwbjdB8vnOjOltCv8G4_mbPGaSs7G1vWTEb9vyj6p2eQYc5Ou8MGTHkYL8tS954rn34/s320/Resize+of+IPO.jpg)
IPO નાં રિફન્ડની સમસ્યાનાં ઉકેલ માટે સેબીની નવી માર્ગદર્શીકા જાહેર.
IPO નાં રિફન્ડ માટે હવેથી રોકાણકારોએ રાહ નહીં જોવી પડે.
અત્યાર સુધી પબ્લીક ઇશ્યુમાં રોકાણકારોએ ભરેલા નાંણાં નાં રિફન્ડ માટે એક એક મહીના સુધી રાહ જોવી પડ્તી હતી અમુક કિસ્સાઓમાં તો બે-ત્રણ મહીનાઓ સુધી પણ રિફન્ડ આવેલા નથી તો આવી પરિસ્થિતિમાં રોકાણકારોનાં નાણાં સાવ ફાજલ રીતે રોકાયેલાં ના રહે અને રોકાણકારોને તેનું રિફન્ડ ત્વરીત મળી જાય એવી કાંઇક વ્યવસ્થા ગોઠવવા માટે સેબી સમક્ષ ઘણાં સમયથી માંગણી હતી તે અનુસંધાને તાજેતરમાં જ સેબીએ પબ્લીક ઇશ્યુમાં અરજી કરતી વખતે નાણાં બેંકમાં જ જમા રહે અને એલોટમેન્ટ પછી જ જેટલું એલોટ્મેન્ટ થાય એ પ્રમાણે જ અરજદાર નાં બેંક એકાઉન્ટમાંથી નાણાં ડેબીટ થાય એવી વ્યસ્થા અમલમાં મુકવા માટે પરીપત્ર જાહેર કર્યો છે.શરુઆતમાં પ્રાયોગીક ધોરણે આ પ્રોજેક્ટ શરુ થશે અને અરજી કરતી વખતે ચેક ભરવાની અને એકાઉન્ટ માંથી બધી રકમ ડેબીટ થાય તેવી અત્યારની વ્યવસ્થા ચાલુ રહેશે અને તે સાથે નવી વ્યવસ્થા પણ અમલી બનશે.આ નવી વ્યવસ્થાને એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એકાઉન્ટ કહેવાશે અને જે બેંકો આ સવલત તેનાં ગ્રાહકોને આપવા માંગતી હશે તેણે સેબીની મંજુરી લેવી પડ્શે.જે બેંકો આ બ્લોક્ડ એકાઉન્ટવાળી અરજી માટે આગળ આવશે તેમની નિર્ધારીત શાખાઓમાં થતી અરજીઓને નવી સવલતનો લાભ મળશે.આમ,બેંકમાં જેનું ખાતું હશે તેને જ બેંકો આવી સવલત આપશે.હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી બેંકોએ આ માટે સહમતી દર્શાવી છે.
આ નવી વ્યવસ્થા મુજબ ભારતીય વ્યક્તીગત રોકાણકારો માત્ર કટ ઓફ ભાવે જ અરજી કરી શકશે અને બુક બીલ્ડીંગવાળા ઇશ્યુને જ આ સવલત મળશે.રીઝર્વ કેટેગરી હેઠળની અરજીને હાલ આ લાભ નહીં મળે અને આ વ્યવશ્થા મુજબ અરજી કર્યા બાદ તેમાં ફેરફાર થઈ શકશે નહીં.અલોટમેન્ટ નક્કી થયા બાદ જેનું જેટલું અલોટમેન્ટ થશે અટલાં પ્રમાણમાંજ તેનાં બેંક અકાઉન્ટમાંથી નાણાં ઉધારવામાં આવશે અને બાકીનાં નાણાં છુટા કરાશે,ત્યાં સુધી સંપુર્ણ અરજીનાં નાણાં બ્લોક રહેશે.હાલ,સેબી નવી અને જુની બંને પધ્ધતી ચાલુ રાખશે નવી યોજનાને સંપુર્ણ સફળતા મળે તે પછી જુની પધ્ધતી રદ કરવામાં આવશે અને પબ્લીક ઇશ્યુનાં બધાં વહેવાર નવી પધ્ધતી મુજબ જ થશે.
આ યોજના ક્યારથી લાગુ થશે તે માટેની તારીખ હજુ સેબીએ જાહેર કરેલ નથી.પરંતુ જો આ યોજનાનો જો તત્કાલીક ધોરણે અમલ થાય તો નાનાં રોકાણકારોનાં પબ્લીક ઇશ્યુમાં નાંણાં અટવાતાં અટકી જશે.આમ,નાનાં રોકાણકારો માટે આ એક આનંદનાં સમાચાર છે.ભુતકાળમાં પબ્લીક ઇશ્યુઓમાં થયેલાં ખરાબ અનુભવોને લીધે રોકાણકારો નું પબ્લીક ઇશ્યુઓમાં નાણાં રોકવા માટેનું આકર્ષણ ઘટતું હતું તેને હવે ફરીથી વેગ મળશે.
IPO નાં રિફન્ડ માટે હવેથી રોકાણકારોએ રાહ નહીં જોવી પડે.
અત્યાર સુધી પબ્લીક ઇશ્યુમાં રોકાણકારોએ ભરેલા નાંણાં નાં રિફન્ડ માટે એક એક મહીના સુધી રાહ જોવી પડ્તી હતી અમુક કિસ્સાઓમાં તો બે-ત્રણ મહીનાઓ સુધી પણ રિફન્ડ આવેલા નથી તો આવી પરિસ્થિતિમાં રોકાણકારોનાં નાણાં સાવ ફાજલ રીતે રોકાયેલાં ના રહે અને રોકાણકારોને તેનું રિફન્ડ ત્વરીત મળી જાય એવી કાંઇક વ્યવસ્થા ગોઠવવા માટે સેબી સમક્ષ ઘણાં સમયથી માંગણી હતી તે અનુસંધાને તાજેતરમાં જ સેબીએ પબ્લીક ઇશ્યુમાં અરજી કરતી વખતે નાણાં બેંકમાં જ જમા રહે અને એલોટમેન્ટ પછી જ જેટલું એલોટ્મેન્ટ થાય એ પ્રમાણે જ અરજદાર નાં બેંક એકાઉન્ટમાંથી નાણાં ડેબીટ થાય એવી વ્યસ્થા અમલમાં મુકવા માટે પરીપત્ર જાહેર કર્યો છે.શરુઆતમાં પ્રાયોગીક ધોરણે આ પ્રોજેક્ટ શરુ થશે અને અરજી કરતી વખતે ચેક ભરવાની અને એકાઉન્ટ માંથી બધી રકમ ડેબીટ થાય તેવી અત્યારની વ્યવસ્થા ચાલુ રહેશે અને તે સાથે નવી વ્યવસ્થા પણ અમલી બનશે.આ નવી વ્યવસ્થાને એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એકાઉન્ટ કહેવાશે અને જે બેંકો આ સવલત તેનાં ગ્રાહકોને આપવા માંગતી હશે તેણે સેબીની મંજુરી લેવી પડ્શે.જે બેંકો આ બ્લોક્ડ એકાઉન્ટવાળી અરજી માટે આગળ આવશે તેમની નિર્ધારીત શાખાઓમાં થતી અરજીઓને નવી સવલતનો લાભ મળશે.આમ,બેંકમાં જેનું ખાતું હશે તેને જ બેંકો આવી સવલત આપશે.હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા જેવી બેંકોએ આ માટે સહમતી દર્શાવી છે.
આ નવી વ્યવસ્થા મુજબ ભારતીય વ્યક્તીગત રોકાણકારો માત્ર કટ ઓફ ભાવે જ અરજી કરી શકશે અને બુક બીલ્ડીંગવાળા ઇશ્યુને જ આ સવલત મળશે.રીઝર્વ કેટેગરી હેઠળની અરજીને હાલ આ લાભ નહીં મળે અને આ વ્યવશ્થા મુજબ અરજી કર્યા બાદ તેમાં ફેરફાર થઈ શકશે નહીં.અલોટમેન્ટ નક્કી થયા બાદ જેનું જેટલું અલોટમેન્ટ થશે અટલાં પ્રમાણમાંજ તેનાં બેંક અકાઉન્ટમાંથી નાણાં ઉધારવામાં આવશે અને બાકીનાં નાણાં છુટા કરાશે,ત્યાં સુધી સંપુર્ણ અરજીનાં નાણાં બ્લોક રહેશે.હાલ,સેબી નવી અને જુની બંને પધ્ધતી ચાલુ રાખશે નવી યોજનાને સંપુર્ણ સફળતા મળે તે પછી જુની પધ્ધતી રદ કરવામાં આવશે અને પબ્લીક ઇશ્યુનાં બધાં વહેવાર નવી પધ્ધતી મુજબ જ થશે.
આ યોજના ક્યારથી લાગુ થશે તે માટેની તારીખ હજુ સેબીએ જાહેર કરેલ નથી.પરંતુ જો આ યોજનાનો જો તત્કાલીક ધોરણે અમલ થાય તો નાનાં રોકાણકારોનાં પબ્લીક ઇશ્યુમાં નાંણાં અટવાતાં અટકી જશે.આમ,નાનાં રોકાણકારો માટે આ એક આનંદનાં સમાચાર છે.ભુતકાળમાં પબ્લીક ઇશ્યુઓમાં થયેલાં ખરાબ અનુભવોને લીધે રોકાણકારો નું પબ્લીક ઇશ્યુઓમાં નાણાં રોકવા માટેનું આકર્ષણ ઘટતું હતું તેને હવે ફરીથી વેગ મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો